________________
બાહ્યલિંગ (સાધુનો વેષ) ધારણ કર, અને ઉત્તમ ગુણોનું પાલન કર. જીવ, અજીવ, આસ્ત્રવ, બંધ અને સંવર તત્ત્વનું ચિંતન કર, મન, વચન, કાયાથી શુદ્ધ થઈ આત્માનો વિચાર કર, કારણકે જયાં સુધી વિચારવા યોગ્ય જીવાદિ તત્ત્વોનો વિચાર નહીં કરે ત્યાં સુધી અવિનાશી પદની પ્રાપ્તિ થશે નહીં.
હે મુનિવર! પાપ-પુણ્ય બંધાદિનું કારણ પરિણામ જ છે. મિથ્યાત્વ, કષાય, અસંયમ અને યોગરૂપ ભાવોથી પાપનો બંધ થાય છે. મિથ્યાત્ય રહિત સમ્યગ્દષ્ટિ જીવ પુણ્યને બાંધે છે તેથી તમે એવી ભાવના કરો કે હું જ્ઞાનાવરણાદિ આઠ કર્મોથી આચ્છાદિત છું અને હું તેનો નાશ કરી નિજ સ્વરૂપને પ્રગટ કરું. વધારે કહેવાથી શું? તું તો પ્રતિદિન શીલ અને ઉત્તર ગુણોના ભેદ-પ્રભેદો સહિત ચિત્તન કર.
હે મુનિ, ધ્યાનથી મોક્ષ થાય છે. તેથી તમે આર્ત-રૌદ્ર ધ્યાનને છોડી ધર્મ અને શુક્લ ધ્યાનને ધારણ કરો. દ્રવ્યલિંગી સાધુને ધર્મ અને શુક્લ ધ્યાન થતું નથી, તેથી તે સંસારરૂપ વૃક્ષને કાપવામાં સમર્થ નથી. જે મુનિના મનમાં રાગરૂપી પવનથી રહિત ધર્મરૂપી દીપક બળે છે તે જ આત્માને પ્રકાશિત કરે છે, તે જ સંસારરૂપી વૃક્ષને ધ્યાનરૂપી કુહાડીથી કાપે છે.
જ્ઞાનનું એકાગ્ર થવું જ ધ્યાન છે. ધ્યાનથી કર્મરૂપી વૃક્ષ બળી જાય છે, જેથી સંસારરૂપી અંકુર ઉત્પન્ન થતા નથી, તેથી ભાવ લિંગી સાધુ તો સુખોને પ્રાપ્ત કરી તીર્થકર અથવા ગણધર આદિ પદોને પ્રાપ્ત કરે છે, પણ દ્રવ્ય લિંગી સાધુ દુ:ખોને જ ભોગવે છે. તેથી ગુણ-દોષોને જાણી તમે ભાવ સહિત સંયમી બનો.
ભાવશ્રમણ (ભાવલિંગી સાધુ) વિદ્યાધર આદિની ઋદ્ધિયોને ઇચ્છતા નથી, તેમજ તેઓ મનુષ્ય-દેવાદિના સુખોની પણ વાંછા કરતા નથી. તેઓ માત્ર એટલું જ ઈચ્છતા હોય છે કે શીધ્રાતિશઘ આત્મહિત સાધી લઉ.
હે ધીર! સાકર (ગોળ)વાળું દૂધ પીવાથી પણ જેમ સર્પ વિષ રહિત થતો નથી, તેમ અભવ્ય જીવ જિનધર્મ સાંભળવાથી પણ પોતા ન દુર્મતિથી આચ્છાદિત બુદ્ધિને છોડતો નથી. તે મિથ્યા ધર્મથી જોડાએલો હોઈ મિથ્યાધર્મનું પાલન કરે છે, અજ્ઞાન તપ કરે છે, જેથી દુર્ગતિને પ્રાપ્ત થઈ સંસારમાં ભ્રમણ કરે છે, માટે તારે ૩૬૩ પાખંડીઓના માર્ગને છોડી જિનધર્મમાં મન લગાડવું જોઈએ.
સમ્યગ્દર્શનની મહિમાનું વર્ણન કરતાં આચાર્ય કહે છે કે જેમ લોકમાં જીવ રહિત શરીરને શબ કહે છે, તેમ સમ્યગ્દર્શન રહિત પુરૂષ હાલતું ચાલતું શબ છે. શબ લોકમાં અપૂજય હોય છે અને સમ્યગ્દર્શન રહિત પુરૂષ લોકોત્તર (અધ્યાત્મ માર્ગમાં અપૂજય છે. મુનિ અને શ્રાવક ધર્મોમાં સમ્યકત્વની જ વિશેષતા છે. જેમ તારાઓના સમૂહમાં ચંદ્રમા સુશોભિત છે, પશુઓમાં મૃગરાજ
૮૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org