SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર આચાર્ય કુંદકુંદ દિગંબર જૈન આચાર્યની પરંપરાના પ્રતિષ્ઠાપક સર્વમાન્ય આચાર્ય છે. તેમના પંચ પરમાગમ એવો પ્રકાશ સ્તંભ છે કે જે ગત બે હજાર વર્ષથી અધ્યાત્મના રુચિવાન લોકોને નિરંતર પ્રકાશ આપ્યા કરે છે. આધ્યાત્મિક શાંતિ અને સામાજિક ક્રાંતિનો અદ્ભૂત સંગમ આ અપરાજેય વ્યક્તિત્વમાં જેવો જોવા મળે છે તેવો અન્યત્ર અસંભવ નહીં તો જરૂર દુર્લભ છે. આત્મા પ્રતિ અત્યંત સજાગતા, આત્મ સન્મુખ વૃત્તિ અને શિથિલ આચારના વિરૂદ્ધ આટલો ઊગ્ર સંઘર્ષ આચાર્ય કુંદકુંદ જેવા સમર્થ આચાર્યના જ વશની વાત હતી. આત્મોન્મુખી વૃત્તિના નામ ઉપર વિકૃતિઓ તરફ આંખ બંધ કરનારા પલાયનવાદી અને વિકૃતિઓની વિરૂદ્ધમાં અવાજ ઉઠવવાના બહાને જગતપ્રપંચોમાં ફસાઈ જનારા પરમ અધ્યાત્મથી વિમુખ થયેલા પુરૂષો તો ડગલે અને પગલે મળી આવશે; પણ આત્મ આરાધના અને લોક કલ્યાણમાં સમુચિત સમન્વય સ્થાપિત કરનાર, સુવિચારિત સન્માર્ગ ઉપર સ્વયં ચાલનારા અને જગતને લઈ જાનારા સમર્થ પુરૂષ વિરલાજ હોય છે. આચાર્ય કુંદકુંદ એવા જ સમર્થ આચાર્ય હતા, જે પોતે તો સન્માર્ગ ઉપર વિચર્યા પણ સાથે લોકોને પણ મંગળમય માર્ગ ઉપર દોરી લઈ ગયા. તેમને બતાવેલ આધ્યાત્મિક સન્માર્ગ આજ પણ અધ્યાત્મ પ્રેમિયોનો આધાર છે. આચાર્ય કુંદકુંદના અધ્યાત્મ અને આચરણ સંબંધી આદેશોની આવશ્યકતા જેટલી આજે છે તેટલી તેમના સમયમાં પણ નહી હોય, કારણકે અધ્યાત્મ વિમુખતા અને શિથિલાચાર જેટલો આજે દેખવામાં આવે છે, તેટલો કુંદકુંદના સમયમાં તો નિશ્ચિત જ નહીં હતો અને કોઈ યુગમાં પણ નહીં હશે. આધ્યાત્મિક જાગૃતિ અને સાધુ અને શ્રાવકોનું નિર્મળ આચરણ માટે કુંદકુંદના ગ્રંથોનું અધ્યયન ઊંડાણથી કરવું તે ફક્ત ઉપયોગી જ નહીં પણ અત્યંત આવશ્યક છે. આચાર્ય કુંદકુંદના ગ્રંથોનો નિયંતિમ સ્વાધ્યાય અને વિધિસર વાંચન ન તો ફિક્ત આત્મહિત માટે આવશ્યક છે પણ સામાજિક શાંતિ અને શ્રમણ સંસ્કૃતિની સુરક્ષા માટે પણ અત્યંત આવશ્યક છે, નહિતર શ્રાવકોના અસદાચાર અને સાધુઓનો શિથિલ આચાર સામાજિક શાંતિને તો ભંગ કરી રહ્યા છે, પણ તેથી શ્રમણ સંસ્કૃતિની દિગંબર ધારા પણ છિન્નભિન્ન થઈ રહી છે. શ્રદ્ધા અને ચારિત્રના આ સંકટ કાળમાં કુંદકુંદના પાંચ પરમાગમોમાં પ્રવાહિત જ્ઞાન ગંગામાં ડુબકી મારવી તે પરમ શરણ છે. co Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005314
Book TitleParamagama Sara
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy