________________
પરમાગમનાં વિણેલાં મોતી
સમયસાર
શ્રુત-પરિચિત-અનુભૂત સર્વને કામ ભોગબંધનની કથા;
પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવેબ સુલભ ના. ૪ ગાથા ૪:- સર્વ લોકને કાભોગસંબંધી બંધની કથા તો સાંભળવામાં આવી ગઈ છે, પરિચયમાં આવી ગઈ છે અને અનુભવમાં પણ આવી ગઈ છે તેથી સુલભ છે; પણ ભિન્ન આત્માનું એકપણું હોવું કદી સાંભળ્યું નથી, પરિચયમાં આવ્યું નથી અને અનુભવમાં આવ્યું નથી તેથી એક તે સુલભ નથી.
ચારિત્ર, દર્શન, જ્ઞાન પણ વ્યવહાર-કથને જ્ઞાનીને;
ચારિત્ર નહિ, દર્શન નહીં, નહિ જ્ઞાન, જ્ઞાયક શુદ્ધ છે. ૭. ગાથા ૭:- જ્ઞાનીને ચારિત્ર, દર્શન, શાન-એ ત્રણ ભાવ વ્યવહારથી કહેવામાં આવે છે; નિશ્ચયથી જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી અને દર્શન પણ નથી; જ્ઞાની તો એક શુદ્ધ જ્ઞાયક જ છે.
ભાષા અનાર્ય વિના ન સમજાવી શકાય અનાર્યને,
વ્યવહાર વિણ પરમાર્થનો ઉપદેશ એમ અશક્ય છે. ૮ ગાથા ૮:- જેમ અનાર્ય (સ્લેચ્છ) જનને અનાર્યભાષા વિના કોઈ પણ વસ્તુનું સ્વરૂપ ગ્રહણ કરાવવા કોઈ સમર્થ નથી તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ કરવા કોઈ સમર્થ નથી.
વ્યવહારનય અભૂતાર્થ દર્શિત, શુદ્ધનય ભૂતાર્થ છે;
ભૂતાર્થને આશ્રિત જીવ સૃષ્ટિ નિશ્ચય હોય છે. ૧૧. ગાથા ૧૧:- વ્યવહારનય અભૂતાર્થ છે અને શુદ્ધનય ભૂતાર્થ છે એમ ઋષીશ્વરોએ દર્શાવ્યું છે, જે જીવ ભૂતાર્થનો અર્થાત શુદ્ધ નિશ્ચયનયના વિષયભૂત નિજ આત્માનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે.
૯૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org