SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે, અર્થાત તેઓ નિગોદમાં જાય છે, જયાં તેઓ ન તો હાલી ચાલી શકે અથવા ન તો બોલી શકે, તેમને બોધિલાભ અત્યંત દુર્લભ છે. આ પ્રમાણે જે જીવ લજજા, ગારવ અને ભયથી સમ્યગ્દર્શનથી રહિત લોકોના પગ પૂજે છે, તે પણ તેમના અનુમોદક હોવાને લીધે બોધિને પ્રાપ્ત કરતા નથી. જેમ સમ્યગ્દર્શન રહિત વ્યક્તિ વંદનીય નથી, તેમ અસંયમી પણ વંદનીય ! નથી. બાહ્યમાં ભલે વસ્ત્ર આદિનો ત્યાગ કર્યો હોય, પણ જો સમ્યગ્દર્શન અને અંતરંગ સંયમ નથી તો તે વંદનીય નથી, કારણ કે ન તો દેહ વંદનીય છે, ન કુલ વંદનીય છે, ન જાતિ વંદનીય છે; વંદનીય તો એક માત્ર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ગુણ જ છે; તેથી રત્નત્રય વિહીનને વંદન જિનમાર્ગમાં ઉચિત નથી. જેમ ગુણ વિહીન વ્યક્તિઓની વંદના ઉચિત નથી, તેમ ગુણવાનોની ઉપેક્ષા પણ અનુચિત છે. તેથી જે વ્યક્તિ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રવત મુનિરાજોની પણ મત્સરભાવથી વંદના કરતાં નથી તે પણ સમ્યગ્દષ્ટિ ધર્માત્મા નથી. અરે ભાઈ ! જો શક્ય હોય તે કરો, જે શકય ન હોય તે ન કરો, પણ શ્રધ્ધાન તો કરવું જ જોઈએ; કારણ કે કેવળી ભગવાને શ્રધ્ધાનને જ સમ્યગ્દર્શન કહ્યું છે. સમ્યગ્દર્શન રત્નત્રયમાં સાર છે, મોક્ષ મહેલની સાડીનું પ્રથમ પગથિયું છે. સમ્યગ્દર્શનથી જ જ્ઞાન અને ચારિત્ર સમ્યક્ થાય છે. આમ સંપૂર્ણ દર્શને પાહુડ સમ્યક્ત્વની મહિમાથી જ ભરપૂર છે. (૨) સૂત્ર પાહુડ સત્તાવીશ ગાથાઓમાં ગુંથાએલ આ પાહુડમાં અરિહંતોએ કહેલ, ગણધરદેવોએ ગુંથેલ, વીતરાગી નગ્ન દિગંબર સંતોની પરંપરામાં સચવાએલ સુવ્યવસ્થિત જિનાગમનાં સૂત્રો કહીને સાધુઓને તેમાં બતાવેલ માર્ગ ઉપર ચાલવાની પ્રેરણા આપી છે, કારણ કે જેમ (સૂત્ર) દોરામાં પરોવાએલી સોય ખોવાતી નથી, તેમ સૂત્રો) આગમના આધારે ચાલનાર સાધુ ભ્રમિત થતા નથી, ભટકતા નથી. સૂત્રમાં કહેલ જીવાદિ તત્ત્વાર્થ અને તે સંબંધી હેય ઉપાદેય જ્ઞાન અને શ્રધ્ધાન જ સમ્યગ્દર્શન છે. અને તેથી જ સૂત્ર અનુસાર ચાલનાર શ્રમણ કર્મોનો નાશ કરે છે. સૂત્રાનુશાસનથી ભ્રષ્ટ સાધુ સંઘપતિ હોય, સિંહવૃત્તિ હોય, અરે, હરિહર તુલ્ય કેમ ન હોય, પણ સિધ્ધિને પ્રાપ્ત કરતા નથી, સંસારમાં જ ભટકે છે. તેથી શ્રમણોએ સુત્રાનુસાર જ પ્રવર્તન કરવું જોઈએ. જિનસૂત્રોમાં ત્રણ લિંગ (વેષ) બતાવ્યા છે, તેમાં સર્વશ્રેષ્ઠ નગ્ન દિગંબર 99 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005314
Book TitleParamagama Sara
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy