________________
સાધુઓનો છે, બીજો ઉત્કૃષ્ટ શ્રાવકોનો છે અને ત્રીજો આર્થિકાઓનો છે, તેના સિવાય કોઇ વેષ નથી કે જે ધર્મની દૃષ્ટિથી પૂજય હોય.
સાધુના લિંગ (વેષ) વિષે સ્પષ્ટતા કરતાં આચાર્ય સૂત્ર પાહુડની ૧૮મી ગાથામાં નીચે મુજબ લખે છે.
“જન્મ્યા પ્રમાણે રૂપ, તલતુષમાત્ર કરમાં નવ ગ્રહે, થોડુ ઘણુ પણ જો ગ્રહે તો પ્રાપ્ત થાય નિગોદને”
અર્થ:- જેવું બાળક જન્મે છે, તેવું સાધુનુ નગ્નરૂપ હોય છે તેને તલના ફોતરા જેટલો પણ પગ્રિહ હોતો નથી. જો કોઇ સાધુ થોડો ઘણો પણ પરિગ્રહ ગ્રહણ કરે તો તે નિશ્ચયથી નિગોદમાં જાય છે.
વસ્ત્ર રાખીને તો તીર્થંકરોનો પણ મોક્ષ થયો નથી, તો પછી બીજાની તો વાત જ.શું કરવી? નગ્નદશા જ એક માત્ર માર્ગ છે, બાકી બધા ઉન્માર્ગ છે. સ્ત્રીઓને નગ્નદશા સંભવતી નથી, તેથી તેમને મુક્તિ પણ સંભવતી નથી. તેમની યોનિ, સ્તન, નાભિ અને કાંખમાં સૂક્ષ્મ ત્રસ જીવોની ઉત્ત્પત્તિ નિરંતર થતી હોય છે. માસિકધર્મની આશંકાથી તે નિરંતર ત્રસ્ત રહે છે તથા સ્વભાવથી પણ શિથિલ ભાવવાળી હોય છે, તેથી તેમને ઉત્કૃષ્ટ સાધુતા સંભવે નહી; તેમ છતાં તેઓ પાપયુક્ત નથી, કારણ કે તેમને સમ્યગ્દર્શન, જ્ઞાન અને એકદેશ ચારિત્ર હોઇ શકે છે.
આમ સંપૂર્ણ સૂત્રપાહુડમાં સૂત્રોમાં પ્રતિપાદિત સાચા માર્ગ ઉપર ચાલવાની પ્રેરણા આપી છે.
(૩) ચારિત્ર પાહુડ
પીસ્તાળીસ ગાથાઓમાં નિબધ્ધ આ ચારિત્ર પાહુડમાં સમ્યક્ આચરણ ચારિત્ર અને સંયમ આચરણ ચારિત્રના ભેદથી ચારિત્રના બે ભેદ કર્યા છે અને કહ્યું છે કે જિનેન્દ્રે કહેલ જ્ઞાન-દર્શન શુધ્ધ સમ્યકત્વાચરણ ચારિત્ર છે, અને શુધ્ધ આચરણરુપ ચારિત્ર સંયમાચરણ છે.
શંકાદિ આઠ દોષોથી રહિત, નિઃશંકાદિ આઠ ગુણો (અંગો)થી સહિત, તત્ત્વાર્થના યથાર્થ સ્વરૂપને જાણી શ્રધ્ધાન અને આચરણ કરવું તે જ સમ્યક્ત્વાચરણ ચારિત્ર છે.
સંયમાચરણ ચારિત્ર સાગાર અને અનગારના ભેદથી બે પ્રકારે હોય છે. અગિયાર પ્રતિમાઓમાં વિભક્ત શ્રાવકના સંયમને સાગાર સંયમાચરણ ચારિત્ર કહે છે. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ આદિનો ઉત્કૃષ્ટ સંયમ નિગ્રંથ મુનિરાજોને હોય છે, તે અનગાર સંયમાચરણ ચારિત્ર છે.
७८
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org