SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યક્ષ, સહજજ્ઞાન આદિ વિષયોનું નિરૂપણ કરીને તે મુનિવરોએ અધ્યાત્મની અનુભવગમ્ય અત્યંતમાં અત્યંત સૂક્ષ્મ અને ગહન વાતને આ શાસ્ત્રમાં સ્પષ્ટ કરી છે. સર્વોત્કૃષ્ટ પરમાગમ શ્રી સમયસારમાં પણ આ વિષયોનું એટલું સ્પષ્ટ નિરુપણ નથી. અહો ! જેમ કોઇ પરાક્રમી કહેવાતો પુરુષ વનમાં જઇ સિંહણનું દૂધ દોહી લાવે છે, તે પ્રમાણે આત્મપરાક્રમી મહા મુનિવરોએ વનમાં બેઠાં બેઠાં અંતરનું અમૃત દોહ્યું છે. સર્વસંગ પરિત્યાગી નિગ્રંથોએ વનમાં રહીને સિધ્ધ ભગવતો સાંથે વાત કરી છે અને અનંત સિધ્ધ ભગવન્તો કેવી રીતે સિધ્ધિને પ્રાપ્ત થયા, તેનો ઇતિહાસ આ માં ભર્યો છે.” પરમ પારિણામિકભાવરૂપ નિજ શુદ્ધાત્મ તત્ત્વ જ એકમાત્ર આરાધ્ય છે, ઉપાસ્ય છે, શ્રદ્ધેય છે, પરમજ્ઞેય છે. તેના શ્રધ્ધાન, જ્ઞાન અને ધ્યાનરૂપ પાવન પરિણતિઓ જ સાધન છે, માર્ગ છે, રત્નત્રય છે, નિયમ છે તથા આ જ પરિણતિઓની પરિપૂર્ણતાજ સાધ્ય છે, માર્ગફળ છે, નિર્વાણ છે. આ પરમાર્થ સત્યનો પ્રતિપાદક જ આ નિયમસાર પરમાગમ છે. અષ્ટ પાહુડ પાંચસોત્રણ ગાથાઓમાં ગુંથાઅલે અને આઠ પાહુડોમા વહેંચાએલ આ અષ્ટપાહુડ ગ્રંથ મૂળસધના પટ્ટાચાર્ય કઠોર પ્રશાસ આચાર્ય કુંદકુંદની એક એવી અમર કૃતિ છે, જે બેહજાર વર્ષોથી લાગ લગાટ શિથિલાચારની વિરૂધ્ધ સશકત અવાજ ઉઠાવતી ચાલી આવે છે અને તેની ઉપયોગિતા પંચમ કાળના અંત સુધી રહેશે, કારણકે આ અવસર્પિણી કાળમાં શિથિલાચાર તો ઉત્તરોત્તર વધવાનો જ છે. તેથી તેની ઉપયોગિતા પણ નિરંતર વધતી જ રહેશે આજે સમૃધ્ધિ અને સુખ સગવડોના મોહથી ઘેરાયેલ શિથિલાચારી શ્રાવકો અને સમન્વયના નામે બધી જગ્યાએ નમન કરનારો નેતાઓથી પોતાની સ્વાર્થીસધ્ધિ માટે સાધુવર્ગમાં વ્યાપ્ત અપરિમિત શિથિલાચારને ભરપુર સંરક્ષણ આપવામાં આવે છે, પાળી પોષી પુષ્ટ કરવામાં આવે છે, તેથી આજ ના સંદર્ભમાં તેની ઉપયોગિતા અવર્ણનીય છે. શિથિલાચારની વિરૂધ્ધ જયારે જયારે પણ અવાજ ઉઠયો છે, ત્યારે ત્યારે આચાર્ય કુન્દકુન્દની આ અમર કૃતિને યાદ કરવામાં આવે છે. તેનો ઉલ્લેખ કરીને શિથિલાચારની વિરૂધ્ધ સમાજને સાવધાન કરવામા આવે છે. આ ગ્રંથના અવતરણોનો સમાજ ઉપર અપેક્ષિત પ્રભાવ પણ પડે છે, તેના. પરિણામે સમાજમાં શિથિલાચાર ના વિરૂધ્ધ એક વાતાવરણ ઉત્પન્ન થાય છે. છેલ્લા બે Jain Educationa International ૭૫ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005314
Book TitleParamagama Sara
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy