________________
કરી જો શકે. પ્રતિક્રમણ આદિ ધ્યાનમય કરજે અહો!
કર્તવ્ય છે શ્રધ્ધા જ, શક્તિવિહીન જો તું હોય તો. ૧૫૪” અર્થ :- અહો ! જો કરી શકાય તો ધ્યાનમય પ્રતિક્રમણાદિ કર; જો તું શક્તિવિહીન હોય તો ત્યાં સુધી શ્રધ્ધાન જ કર્તવ્ય છે.
મોહમાં ફસાયેલા દુ:ખી જગતને જોઈ કરુણાવંત આચાર્ય ભગવંત શ્રી કુન્દકુન્દ્રાચાર્ય સમયસાર જેવા ગ્રંથાધિરાજોની રચના કરે છે, કરુણાથી ગગ થઈને ઉપદેશ આપે છે, આદેશ આપે છે, વિવિધ યુક્તિઓ અને ઉદાહરણોથી વસ્તુસ્વરૂપ સમજાવે છે, પણ અંતરમાં સારી રીતે જાણે છે કે આવા વિકલ્પોમાં ફસાવું આત્મહિતની દષ્ટિથી હિતકારક નથી, ઉચિત નથી. તેથી પોતાને સંબોધન કરતાં અને બીજાને સમજાવવાના વિકલ્પમાં ફસાએલા નિકટવર્તી શિષ્યોને સમજાવતાં નિયમસારની ગાથા ૧૫ ૬ અને ૧૫૭ માં નીચે મુજબ કહે છે:
છે જીવ વિધવિધ, કર્મ વિધવિધ, લબ્ધિ છે વિધ વિધ અરે !
તે કારણે નિજ પરસમય સહ વાદ પરિહર્તવ્ય છે” ૧૫૬ અર્થ :- નાના (જુદા જુદા ઘણા) પ્રકારના જીવો છે, નાના પ્રકારનું કર્મ છે, નાના પ્રકારની લબ્ધિ છે; તેથી સ્વસમયો અને પરસમયો સાથે (સ્વધર્મીઓ અને પરધર્મીઓ સાથે) વચનવિવાદ વર્જવા યોગ્ય છે. કોઈથી વિવાદ કરવો તે આત્માર્થીનું કાર્ય નથી.
“નિધિ પામીને જન કોઇ નિજ વતને રહી ફળ ભોગવે,
ત્યમ જ્ઞાની પરજન સંગ છોડી જ્ઞાનનિધિને ભોગવે.” ૧પ૭ અર્થ:- જેમ કોઈ એક (દરિદ્ર માણસ) નિધિને પામીને પોતાના વતનમાં (ગુપ્તપણે) રહી તેના ફળને ભોગવે છે, તેમ જ્ઞાની પર જનોના સમૂહને છોડીને જ્ઞાનનિધિને ભોગવે છે.
નિયમસાર પરમાગમ મુખ્યત: મોક્ષમાર્ગના નિરૂપચાર નિરૂપણનો અનુપમ ગ્રંથાધિરાજ છે. તે માત્ર વિદ્વાનોના અધ્યયનની વસ્તુ નથી, પણ પ્રત્યેક આત્માને દૈનિક પાઠ કરવાની ચીજ છે.
શ્રી કાનજીસ્વામી નિયમસાર ઉપર પ્રવચન કરતાં આનંદવિભોર થઈને કહેતા હતા:
પરમપરિણામિક ભાવને પ્રકાશિત કરનારા શ્રી નિયમસાર પરમાગમ અને તેની ટીકાની રચના છકે-સાતમે ગુણસ્થાને ઝુલતા મહાસમર્થ મુનિવરોથી દ્રવ્યની સાથે પર્યાયની એકતા સાધતાં સાધતાં થઈ ગઈ છે. જેમ શાસ્ત્ર અને ટીકાની રચના થઈ છે, તે પ્રમાણેજ સ્વસંવેદન તેઓ પોતે કરી રહ્યા હતા. પરમપરિણામિક ભાવના અંતરંગ અનુભવને જ તેઓએ શાસ્ત્રમાં ઉતાર્યા છે. પ્રત્યેક અક્ષર શાશ્વત, ટંકોત્કીર્ણ, પરમસત્ય, નિરપેક્ષ, કારણશુધ્ધ પર્યાય, સ્વરૂપ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org