________________
છેવટે નિર્વાણ અર્થાત સિદ્ધદશાનું વર્ણન કર્યું છે. બીજી ગાથામાં માર્ગ અને માર્ગફળની જે વાત આરંભ કરી હતી, તે એક સો પંચ્યાસીમી ગાથામાં તે વાતનો ફરીથી ઉલ્લેખ કરતાં ઉપસંહાર આપ્યો છે.
અંતમાં એક મહત્વપૂર્ણ ચેતવણી આપી છે, જે નિયમસારની ગાથા ૧૮૬ માં છે તે નીચે મુજબ છે :
“પણ કોઈ સુંદર માર્ગની નિંદા કરે ઈર્ષા વડે,
તેનાં સૂણી વચનો કરો ન આભક્તિ જિન મારગ વિષે.” અર્થ :- પરંતુ ઈર્ષાભાવથી કોઈ લોકો સુંદર માર્ગને નિંદે છે તો તેમનાં વચન સાંભળીને જિનમાર્ગ પ્રત્યે અભક્તિ ન કરશો.
આમ આપણે જોઈએ છીએ કે સંપૂર્ણ નિયમસારમાં એકજ ધ્વનિ છે કે પરમપરિણામિક ભાવરુપ નિજ શુધ્ધાત્માની આરાધનામાં જ સમસ્ત ધર્મ સમાયેલો છે. તેના સિવાયના જે કાંઈ પણ શુભાશુભ વિકલ્પ અને શુભાશુભ ક્રિયાઓ છે, તેને ધર્મ કહેવો માત્ર ઉપચાર છે. તેથી પ્રત્યેક આત્માર્થીનું એક માત્ર કર્તવ્ય આ ઉપચાતિ ધર્મોથી વિરત થઈ એક માત્ર નિજ શુધ્ધ આત્મ તત્ત્વની આરાધનામાં નિરત થવું તે જ છે.
નિજ શુધ્ધ આત્મ તત્ત્વનું જ્ઞાન, શ્રધ્ધાન અને આચરણ (લીનતા) જ નિશ્ચય રત્નત્રય છે, નિયમ છે. પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, અલોચના, પ્રાયશ્ચિત, પરમ સમાધિ, પરમભક્તિ, પરમ આવશ્યક આદિ આના જ વિશેષ છે, તેથી તેમાં જ સમાયેલા છે.
આચાર્યદેવ સ્વયં કહે છે કે વચનરૂપ પ્રતિક્રમણાદિ તો સ્વાધ્યાય છે, ધ્યાન નથી, તેથી ગ્રહણ કરવા યોગ્ય નથી. ધ્યાનરૂપ નિશ્ચય પ્રતિક્રમણાદિ જ કરવા યોગ્ય છે. જો અશક્તિના કારણે ધ્યાનરુપ નિશ્ચય પ્રતિક્રમણાદિ સંભવ ન હોય તો શ્રદ્ધાનરુપે પ્રતિક્રમણાદિ કરવું. તાત્પર્ય એ છે કે શ્રધ્ધામાં એવો સ્વીકાર કરવો કે વાસ્તવિક પ્રતિક્રમણાદિ તો આત્માના ધ્યાનરૂપ જ છે, વચનાદિરૂપ નથી, અર્થાત્ શ્રધ્યેય, ધ્યેય, આરાધ્ય તો એક આત્મા જ છે. તે સંદર્ભમાં નિયમસારની ગાથા ૧૫૩ અને ૧૫૪ નીચે મુજબ છે.
ર, વચનમય પ્રતિક્રમણ, નિયમો, વચનમય પચખાણ જે,
જે વચનમય આલોચના, સઘળુંય તે સ્વાધ્યાય છે.” ૧૫૩ અર્થ:- વચનમય પ્રતિક્રમણ, વચનમય પ્રત્યાખ્યાન, (વચનમય) નિયમ અને વચનમય આલોચના–એ બધું (પ્રશસ્ત અધ્યવસાયરૂપ) સ્વાધ્યાય જાણ.
૭૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org