________________
પછી એકસા ચોત્રીસમી ગાથાથી દશમો પરમભક્તિ અધિકાર આરંભ થાય છે, જે એકસો ચાળીસમી ગાથા સુધી ચાલે છે. પરમ ભક્તિનું સ્વરૂપ પ્રગટ કરવા આ અધિકાર ઉપર પહ્મપ્રભમલધારિદેવની તાત્પર્યવૃત્તિ ટીકાનો છંદ ૨૨૮ અહીં પ્રસ્તુત કરવો ઉચિત છે કે તેમાં સમસ્ત પરમ ભકિત અધિકારનો સારાંશ સમાયેલો છે.
“જે જીવ આત્માને આત્માની સાથે નિરંતર જોડે છે, તે નિશ્ચયથી યોગભક્તિવાળા મુનીશ્વર છે.”
તાત્પર્યવૃત્તિ ટીકાનો છંદ ૨૨૦ નીચે મુજબ છે:
“જે ભવભયને હરનાર એવા સમ્યકત્વ, શુધ્ધજ્ઞાન અને ચારિત્રની ભવછેદક અતુલ ભક્તિ નિરંતર કરે છે, તે કામ ક્રોધાદિ સમસ્ત દુષ્ટ પાપસમૂહથી મુક્ત ચિત્તવાળા જીવ - ભલે શ્રાવક હોય અથવા સંયમી હોય - નિરંતર ભક્ત છે, ભક્ત છે.”
-
ત્યાર બાદ એક સો એકતાળીસમી ગાથાથી નિશ્ચય પરમ આવશ્યક અધિકાર આરંભ થાય છે જે એકસો અઠ્ઠાવનમી ગાથા સુધી ચાલે છે. એકસો બેતાળીસમી ગાથામાં આચાર્ય આવશ્યકનો જે વ્યુતપત્તિ અર્થ બતાવ્યો છે, તે પોતાની રીતે અદ્ભુત અને શ્રૃવ્ય છે:
“જે અન્યને વશ નથી, તે ‘અવશ' છે અને અવશનું કર્મ ‘આવશ્યક’ છે, એમ જાણવુ જોઇએ.”
અન્યવશનું વિસ્તૃત સ્પષ્ટીકરણ આગળની અનેક ગાથાઓમાં કર્યું છે જેમાં બતાવ્યું છે કે શુભાશુભ ભાવોમાં રહેનારા અને દ્રવ્ય-ગુણ-પર્યાયના ચિંતનમાં મગ્ન આત્મા અન્યવશ છે, આત્મસ્વરૂપમાં સંલગ્ન આત્માજ સ્વવશ છે. આ સંદર્ભમાં તાત્પર્યવૃત્તિનો ૨૪૩મો છંદ દશ્રૃવ્ય છે:
“જો જીવ અન્યવશ છે, તે ભલે મુનિવેષધારી હોય પણ સંસારી છે, નિત્ય દુ:ખ ભોગવનારો છે. જે જીવ સ્વવશ છે; તે જીવન્મુક્ત છે, જિનેશ્વરથી વંચિત જ ન્યૂન છે.”
ત્યાર બાદ એકસો ઓગણ સિત્તેરમી ગાથાથી શુધ્ધ ઉપયોગ અધિકાર આરંભ થાય છે, જે અંતિમ અધિકાર છે અને અંત સુધી અર્થાત એક સો સત્યાસીમી ગાથા સુધી ચાલે છે. તે પ્રસિધ્ધ ગાથા છે, જેમાં કેવળી ભગવાન પરને વ્યવહારથી જાણે છે અને નિશ્ચયથી સ્વને જાણે છે, તેમ બતાવ્યું છે અને આ ગાથા આ અધિકારની પહેલીજ ગાથા છે. આગળ ઉપર આત્માના સ્વ-પર પ્રકાશક સ્વરૂપનું યુક્તિ સંગત વિસ્તૃત સ્પષ્ટીકરણ કર્યું છે
Jain Educationa International
૭૨
For Personal and Private Use Only
www.jainelibrary.org