________________
“આ નિયમસાર શાસ્ત્ર સમસ્ત આગમના અર્થ સમૂહને પ્રતિપાદન કરવામાં સમર્થ છે, તેમાં ‘નિયમ” શબ્દથી સૂચિત વિશુદ્ધ મોક્ષમાર્ગનું પ્રતિપાદન છે, તે પંચાસ્તિકાયના નિરુપણથી શોભિત છે, તેમાં દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર આ પાંચ આચારોનું વિસ્તૃત વિવેચન છે, તેમાં છ દ્રવ્યોનું વિવિધ વિવેચન તથા સાત તત્ત્વ અને નવ પદાર્થ પણ સમાઈ ગયા છે, તથા તેમાં પાંચ ભાવોનું પ્રતિપાદન પણ બહુ જ પ્રવિણતાથી કર્યું છે. નિશ્ચય - પ્રતિક્રમણ, નિશ્ચય - પ્રત્યાખ્યાન, નિશ્ચય - પ્રાયશ્ચિત, પરમ-આલોચના, નિયમ, વ્યુત્સર્ગ આદિ સંપૂર્ણ પરમાર્થ ક્રિયાકાંડના આડંબરથી આ નિયમસાર નામનો પરમેશ્વરી શાસ્ત્ર સમૃધ્ધ છે તથા ત્રણ ઉપયોગોથી સુસમ્પન્ન છે.”
૧૮૭ ગાથામાં કહેલી સંપૂર્ણ વિષય વસ્તુને નિયમસારમાં નીચેના બાર અધિકારોમાં વિભાજીત કરવામાં આવી છે. ૧) જીવ અધિકાર ૨) અજીવ અધિકાર ૩) શુધ્ધભાવ અધિકાર ૪) વ્યવહાર ચારિત્ર અધિકાર ૫) પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર ૬) નિશ્ચય પ્રત્યાખ્યાન અધિકાર ૭) પરમ આલોચના અધિકાર ૮) શુધ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત અધિકાર ૯)પરમ સમાધિ અધિકાર ૧૦) પરમ ભક્તિ અધિકાર ૧૧) નિશ્ચય પરમ આવશ્યક અધિકાર ૧૨) શુદ્ધ ઉપયોગ અધિકાર.
જીવ અધિકારમાં ઓગણીસ ગાથાઓ છે. જેમાં મંગળાચરણ અને ગ્રંથ પ્રતિજ્ઞા પછી મોક્ષ અને મોક્ષમાર્ગની ચર્ચા કરી છે તથા વિષય વસ્તુના આધારે નિયમસાર નામની સાર્થકતા બતાવી છે.
ત્યાર પછી રત્નત્રયરૂપ નિયમનું નિરુપણ આરંભ થાય છે. સર્વ પ્રથમ વ્યવહાર સમ્યગ્દર્શનના પ્રતિપાદનમાં આપ્ત અને આગમના સ્વરૂપનું પ્રતિપાદન
ત્યારબાદ આઠ ગાથાઓ તો આરંભિક ભૂમિકારૂપ જ છે. નવમી ગાથામાં છ દ્રવ્યોનાં નામ બતાવી દશમી ગાથાથી જીવ દ્રવ્યની ચર્ચા શરૂ થાય છે, જે દશ ગાથાઓમાં સમાપ્ત થાય છે.
પછીની અઢાર ગાથાઓમાં અજીવ અધિકાર છે, જેમાં પુગળ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, એમ પાંચ અચેતન દ્રવ્યોનું સામાન્ય વર્ણન છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org