________________
આ બન્ને અધિકાર તો સામાન્ય જ. છે. નિયમસારની વિશેષતા તો ત્રીજા શુદ્ધ ભાવ અધિકારની પ્રથમ ગાથાથી શરૂ થાય છે, જેમાં જીવાદિ બાહ્ય તત્ત્વોને હેય બતાવ્યાં છે તથા કર્મ ઉપાધિ જાનિત ગુણ પર્યાયોથી ભિન્ન આત્માને ઉપાદેય કહ્યો છે. પછીની ૪૯ મી ગાથા સુધી બધા પ્રકારના પરભાવો તથા વિભાવ ભાવોથી આત્માને ભિન્ન બતાવતાં ૫૦ મી ગાથામાં આચાર્યદવ કહે છે કે :
પૂવક્ત ભાવો પર દ્રવ્ય, પરભાવ, તેથી હેય છે;
આત્મા જ છે આદેય અંતઃ તત્તરૂપ નિજદ્રવ્ય જે.” અર્થ : પૂર્વોક્ત કહેલા સર્વ ભાવો પર સ્વભાવો છે, પર દ્રવ્ય છે, તેથી હેય છે; અંત:તત્ત્વ એવું સ્વદ્રવ્ય આત્મા જ ઉપાદેય છે. ત્યારપછી સમ્યગ્દર્શન જ્ઞાનનું સ્વરૂપ બતાવી ચારિત્રનું સ્વરૂપ બતાવવાની પ્રતિજ્ઞા કરે છે અને સર્વ પ્રથમ વ્યવહાર ચારિત્ર અધિકાર નામના ચોથા અધિકારમાં વ્યવહાર ચારિત્રનું સ્વરૂપ સમજાવે છે, જેમાં પાંચ વ્રતો, પાંચ સમિતિઓ, ત્રણ ગુપ્તિઓનું વર્ણન છે. ત્યાર પછી પંચ પરમેષ્ઠીના સ્વરૂપનું નિરુપણ છે.
આમ ૭૬ મી ગાથા સુધી વ્યવહાર ચારિત્ર અધિકાર સમાપ્ત થઈ જાય છે. હવે નિશ્ચય ચારિત્રના અંતર્ગત પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર પ્રારંભ થાય છે.
આ અધિકારની આરંભિક પાંચ ગાથાઓને ટીકાકાર પહ્મપ્રભમલધારિદેવ પંચરત્ન કહે છે, તેમાં નારકાદિ, ગુણસ્થાનાદિ, બાલકાદિ, રાગાદિ અને ક્રોધાદિ ભાવોનો નિશ્ચયથી આત્મા કર્તા, કારયિતા, અનુમતા અથવા કારણ નથી, એમ બતાવ્યું છે. ત્યારબાદ એક ગાથામાં એમ સ્પષ્ટ કર્યું છે કે ઉપરોક્ત ભાવનાથી જે માધ્યસ્થ ભાવની ઉત્પત્તિ થાય છે, તેને નિશ્ચય ચારિત્ર કહે છે. પછી પ્રતિક્રમણની ચર્ચા આરંભ થાય છે. આ અધિકાર ૯૪ મી ગાથા સુધી ચાલે છે.
આ અધિકારના સંપૂર્ણ પ્રતિપાદનનો સાર એ છે કે આત્માની આરધના જ ખરેખર પરમાર્થ પ્રતિક્રમણ છે. સારાંશના રૂપમાં નિયમસારની ૯૩મી ગાથા રજુ કરી શકાય, જે નીચે મુજબ છે.
“રહી ધ્યાનમાં તલ્લીન, છોડે સાધુ દોષ સમસ્તને,
તે કારણે બસ ધ્યાન સૌ અતિચારનું પ્રતિક્રમણ છે.” અર્થ :- ધ્યાનમાં લીન સાધુ સર્વ દોષોનો પરિત્યાગ કરે છે, તેથી ધ્યાન જ ખરેખર સર્વ અતિચારનું પ્રતિક્રમણ છે.
૯૫ મી ગાથાથી નિશ્ચય પ્રત્યાખ્યાન અધિકાર આરંભ થાય છે, જે ૧૦૬ઠ્ઠી ગાથા સુધી ચાલે છે. ત્યાર પછી ૧૧૨ મી ગાથા સુધી પરમ આલોચના અધિકાર
પરમાર્થ પ્રત્યાખ્યાન અને પરમ આલોચના અધિકાર પરમાર્થ પ્રતિક્રમણ જેમ
. ૭)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org