________________
સંસ્કૃત ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવે નિયમસારની તાત્પર્યવૃત્તિ ટીકામાં ગાથા ૧૮૭ ઉપર ટીકા લખતાં આ ગ્રંથને ભાગવત શાસ્ત્ર કહ્યું છે તથા તેના અધ્યયનનું ફળ શાશ્વતસુખની પ્રાપ્તિ બતાવ્યું છે. અને કહ્યું છે કે, “આ નિયમસાર નામનું ભાગવત શાસ્ત્ર નિર્વાણ સુંદરીથી ઉત્પન્ન, પરમ વીતરાગાત્મક, નિરાબાધ, અનંગ પરમ આનંદને નિરંતર આપનારૂં છે; નિરતિશય, નિત્ય, શુદ્ધ, નિરંજન, નિજ કારણ પરમાત્માની ભાવનાનું કારણ છે; સમસ્ત નયોના સમૂહથી શોભિત છે; પંચમતિનો હેતુ છે તથા જેને દેહ માત્ર પરિગ્રહરૂપ છે એવા પંચેન્દ્રિય વિજયી નિગ્રંથ મુનિરાજ શ્રી કુન્દકુન્દ આચાર્યદેવે રચ્યું છે.
આમ આ ભાગવત શાસ્ત્ર નિયમસારને જે નિશ્ચય અને વ્યવહારનયથી અવિરોધરૂપે જાણે છે, તે મહાપુરૂષ સમસ્ત અધ્યાત્મ શાસ્ત્રોના હૃદયને જાણવાવાળા, પરમ આનંદરૂપ વીતરાગ સુખના અભિલાષી, બાહ્ય અત્યંતર ચોવીસ પ્રકારના પ્રરિગ્રહ અને પ્રપંચના ત્યાગી ત્રિકાળ નિરૂપાધિસ્વરૂપમાં મગ્ન, નિજ કારણ પરમાત્માના સ્વરૂપના શ્રધ્ધાન આચરણાત્મક ભેદ ઉપચાર કલ્પનાથી નિરપેક્ષ સ્વસ્થ રત્નત્રયમાં પરાયણ શબ્દ બ્રહ્મના ફળરૂપ શાશ્ર્વત સુખના ભોક્તા થાય છે.”
નિજ શુદ્ધ આત્મ સ્વરૂપનું જ્ઞાન, શ્રધ્ધાન અને ધ્યાન વગર ચાર ગતિ અને ચોરાસી લાખ યોનિઓમાં પરિભ્રમણ કરતા પ્રાણીઓનાં અનંત દુ:ખોથી મુક્તિ માટે નિજ આત્માનું જ્ઞાન, શ્રદ્ધાન અને ધ્યાન જ એક માત્ર નિયમથી કરવા યોગ્ય કાર્ય છે. નિજ આત્માનું શ્રધ્ધાન, જ્ઞાન અને ધ્યાનરૂપ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર જ નિયમ હોવાથી નિયમસારનો વિષય છે. નિયમની સાથે “સાર” શબ્દનો પ્રયોગ વિપરીત અભિનિવેશનો નિષેધ કરવા માટે કર્યો છે. જેવી રીતે નિયમસારની ગાથા ૩ માં આચાર્યદેવ પોતેજ લખે છે કે:
-
જ્ઞાન
Jain Educationa International
-
“જે નિયમથી કર્તવ્ય એવા રત્નત્રય તે નિયમ છે; વિપરીતના પરિહાર અર્થે ‘સાર’ પદ યોજેલ છે.”
અર્થ:- નિયમ એટલે નિયમથી (નક્કી) જે કરવા યોગ્ય હોય તે કાર્ય અર્થાત્ જ્ઞાન દર્શન ચારિત્ર જ કરવા યોગ્ય કાર્ય છે, તેથી તેજ નિયમ છે. વિપરીતના પરિહાર અર્થે (જ્ઞાન દર્શન ચારિત્રથી વિરૂદ્ધ ભાવોના ત્યાગ માટે અર્થાત્ મિથ્યાદર્શન જ્ઞાન ચારિત્રના પરિહાર અર્થાત્ ત્યાગ માટે) ખરેખર ‘સાર’ એવું વચન કહ્યું છે. તેથી સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર જ નિયમસાર છે. જો કે નિયમસારનો વિષય સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રરૂપ નિયમ જ છે, તો પણ તેમાં તે સંબંધિત બીજા પણ અનેક વિષયો આવી ગયા છે, જેનો ઉલ્લેખ તાત્પર્યવૃત્તિમાં નીચે પ્રમાણે કર્યો છે.
For Personal and Private Use Only
www.jainelibrary.org