________________
નિયમસાર
આચાર્ય ભગવંતોથી શાસ્ત્રોની રચના આત્માર્થીજનોના હિતાર્થે થતી આવે છે. વ્યક્તિ વિશેષને સંબોધીને પણ અનેક મહત્વપૂર્ણ ગ્રંથોની રચના થઈ છે. ભક્તિવશ પણ મહત્ત્વપૂર્ણ ગ્રંથો લખાયા છે.
નિયમસાર નામનો પરમાગમ કોઈ વ્યક્તિ વિશેષ માટે અથવા સંબોધનાર્થે લખાયો નથી તેમજ તેની રચના સામાન્યરૂપથી આત્માથજનોના હિત માટે થઈ નથી વળી ભક્તિ પણ તેનો હેતું નથી. આ ગ્રંથાધિરાજની રચના આચાર્ય કુંદકુંદે પોતાના દૈનિક પાઠ માટે કરી હતી. તેમાં એક બાજુ પરમ વીતરાગી વિરક્ત સંતની અંતરોન્મુખી પવિત્ર ભાવનાનો સતતુ પ્રવાહ છે તો બીજી બાજુ અંતરોખી પુરૂષાર્થના ઉદ્યમનો વેગ પણ છે. તે પોતાના પ્રકારની અનુપમ અજોડ કૃતિ છે.
આ ગ્રંથાધિરાજ તત્ત્વ ઉપદેશક અને પ્રશાસક આચાર્ય કુંદકુંદની રચના નથી, પણ આ તો એ બધાથી પૂર્ણ, વિરક્ત, પરમ પારિણામિક ભાવમાં જ મગ્ન, વીતરાગી સંત, અંતરોન્મુખી કુંદકુંદની કૃતિ છે. તેમાં કુંદકુંદનું અંતરંગ વ્યક્ત થયું છે. ઉપદેશ, આદેશ, અનુશાસન પ્રશાસન કુંદકુંદની મજબુરી હતી, જીવન નહોતું. તેમનું હાર્દ નિયમસાર છે.
“સંતોનું કાંઈ પણ છાનું હોતું નથી, તે કારણથી અને મહાભાગ્યથી આ ગ્રંથ આત્માર્થીજનોને ઉપલબ્ધ થઈ ગયો છે. તેની પ્રતિપાદન શૈલી અંતરોન્મુખી ભાવના પ્રધાન છે. સદ્ભાગ્યથી તેને પદ્મપ્રભમલધારિદેવ જેવા અંતરોન્મુખી, ભાવના પ્રધાન, પરમવૈરાગી, ટીકાકાર પણ મળી ગયા, જેમણે તેના ઉપર સમરસી ટીકા અને વચ્ચે વચ્ચે વૈરાગ્યરસથી ઓતપ્રોત છંદ લખી આત્મોન્મુખી આત્માર્થીજનો ઉપર અનંત અનંત ઉપકાર કર્યો છે. - તેમાં સંદેહ નથી કે નિયમસાર નામના પરમાગમ (નિયમસારના ટીકાકાર પદ્મપ્રભમલધારિદેવે અનેક સ્થાનો ઉપર નિયમસારને પરમાગમ કહ્યો છે. જેમ કે છંદ ૫, ૬ અને ગાથા ૧ ની ટીકામાં) ની રચના દિગમ્બર પરંપરાના સર્વશ્રેષ્ઠ આચાર્ય કુંદકુંદે સંપૂર્ણ રીતે પોતાના લાભ માટે જ કરી છે. આ વાત નિયમસારની છેલ્લી ગાથા ૧૮૭ માં નીચે મુજબ સ્પષ્ટ થાય છે.
નિજભાવના અર્થે રચ્યું મેં નિયમસાર સુશાસ્ત્રને,
સૌ દોષ પુર્વાપર રહિત ઉપદેશ જિનનો જાણીને.” અર્થ: પુર્વાપર દોષ રહિત જિનોપદેશને જાણીને મેં નિજ ભાવના નિમિત્તે નિયમસાર નામનું શાસ્ત્ર રચ્યું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org