________________
૧ ૬૧ તે ત્રણ વડે સમાહિત આત્મા, આત્મા સિવાય જયાં અન્ય કિંચિત માત્ર કરતો નથી, માત્ર અનન્ય આત્મામય છે ત્યાં ‘
નિશ્ચય-મોક્ષમાર્ગ સર્વજ્ઞ વીતરાગે કહ્યો છે.
૧૬ ૨ જે આત્મા આત્મસ્વભાવમય એવાં જ્ઞાનદર્શનને અનન્યમય આચરે છે, તેને તે નિશ્ચય જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે.
૧૬૩ જે આ સર્વ જાણશે અને દેખશે તે અવ્યાબાધ સુખ અનુભવશે. આ ભાવોની પ્રતીતિ ભવ્યને થાય છે, અભવ્યને થતી નથી.
૧૬૪ દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ “મોક્ષમાર્ગ છે, તેની સેવનાથી “મોક્ષ” પ્રાપ્ત થાય છે, અને અમુક હેતુથી) “બંધ થાય છે એમ મુનિઓએ કહ્યું છે.
૧૬૫ (ભક્તિથી ક્રમે મોક્ષ થવો અજ્ઞાનને લીધે માને તો તે પરસમયરત જીવ છે.)
૧૬૬ અહસિદ્ધ, ચૈત્ય, પ્રવચન (શાસ્ત્ર), મુનિગણ અને જ્ઞાનભક્તિસંપન્ન જીવ ઘણું પુણ્ય ઉત્પન્ન કરે છે, પણ તે સર્વ કર્મનો ક્ષય કરતો નથી. - ૧૬૭ જેના હૃદયને વિષે અણુમાત્ર પરદ્રવ્ય પ્રત્યે રાગ વર્તે છે, તે સર્વ આગમનો જાણનારે હોય તો પણ “સ્વસમય’ નથી જાણતો એમ જાણવું.
૧૬૮ (જે ચિત્તના ભ્રમણ વિનાનો પોતાને રાખી શકતો નથી તેને શુભાશુભ કર્મનો વિરોધ નથી.)
૧૬૯ તે માટે સર્વ ઇચ્છાથી નિવત નિઃસંગ અને નિર્મમત્વ થઈને જે સિદ્ધસ્વરૂપની ભક્તિ કરે તે નિવાર્ણને પ્રાપ્ત થાય.
૧૭૦ પરમેષ્ઠીપદને વિષે જેને તત્ત્વાર્થ પ્રતીતિપૂર્વક ભક્તિ છે, અને નિગ્રંથપ્રવચનમાં રુચિપણે જેની બુદ્ધિ પરિણમી છે, તેમજ તે સંયમતપસહિત વર્તે છે તો તેને મોક્ષ કંઈ દૂર નથી. - ૧૭૧ અહંતની, સિદ્ધની, ચૈત્યની, પ્રવચનની ભક્તિસહિત જો તપશ્ચર્યા કરે છે તો તે નિયમથી દેવલોકને અંગીકાર કરે છે.
૧૭૨ તેથી ઈચ્છામાત્રની નિવૃત્તિ કરો. સર્વત્ર કિંચિત્માત્ર પણ રાગ કરો મા; કેમકે વીતરાગ ભવસાગરને તરે છે.
૧૭૩ માર્ગનો પ્રભાવ થવાને અર્થે, પ્રવચનની ભક્તિથી ઉત્પન્ન થયેલી પ્રેરણાથી પ્રવચનના રહસ્યભૂત “પંચાસ્તિકાયના સંગ્રહરૂપ આ શસ્ત્ર મેં કહ્યું.
ઇતિ પંચાસ્તિકાયસમાપ્ત....
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org