________________
૧૧૩ ઈડામાં જેમ પક્ષીનો ગર્ભ વધે છે, જેમ મનુષ્યગર્ભમાં મૂછગત અવસ્થા છતાં જીવત્વ છે, તેમ “એકેદ્રિય જીવો” પણ જાણવા.
૧૧૪ શબુક, શંખ, છીપ, કૃમિ એ આદિ જે જીવો રસ, અને સ્પર્શને જાણે છે, તે “બે ઈન્દ્રિય જીવો' જાણવા.
૧૧૫ જુ માંકડ કીડી વછી આદિ અનેક પ્રકારના બીજા પણ કીડાઓ રસ, સ્પર્શ અને ગંધને જાણે છે, તે “ત્રણ ઇન્દ્રિય જીવો' જાણવા.
૧૧૬ ડાંસ, મચ્છર, માખી, ભમરી, ભમરા, પતંગ આદિ રૂપ, રસ, ગંધ અને સ્પર્શને જાણે છે તે “ચાર ઈન્દ્રિય જીવો' જાણવા.
૧૧૭ દેવ, મનુષ્ય, નારક, તિર્યચ, જળચર, સ્થલચર અને ખેચર તે વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દને જાણે છે, તે બળવાન “પાંચ ઇન્દ્રિયવાળા જીવો' છે.
૧૧૮ દેવતાના ચાર નિકાય છે. મનુષ્ય કર્મ અને અકર્મ ભૂમિનાં એમ બે પ્રકારનાં છે. તિર્યંચના ઘણા પ્રકાર છે, તથા નારકી તેની પૃથ્વીઓની જેટલી જાતિ છે તેટલી જાતિના છે.
૧૧૯ પર્વે બાંધેલું આયુષ ક્ષીણ થવાથી જીવ ગતિનામકર્મને લીધે આયુષ અને વેશ્યાના વશથી બીજા દેહમાં જાય છે.
૧૨૦ દેહાશ્રિત જીવોના સ્વરૂપનો એ વિચાર નિરૂપણ કર્યો. તેના ભવ્ય અને “અભવ્ય' એવા બે ભેદ છે. દેહરહિત એવા “સિદ્ધભગવંતો’ છે.
૧૨ ૧ ઇન્દ્રિયો જીવ નથી, તથા કાયા પણ જીવ નથી પણ જીવનાં ગ્રહણ કરેલાં સાધનમાત્ર છે. (વસ્તુતાએ તો જેને જ્ઞાન છે તેને જ જીવ કહીએ છીએ.)
૧૨૨ જે સર્વ જાણે છે, દેખે છે, દુ:ખ ભેદીને સુખ ઈચ્છે છે, શુભ અને અશુભને કરે છે અને તેનું ફળ ભોગવે છે તે “જીવ' છે.
૧૨૩ (જીવને જાણીને જ્ઞાનથી અન્ય એવાં (જડ) લિંગો વડે અજીવને જાણો.)
૧૨૪ આકાશ, કાળ, પુદ્ગલ, ધર્મ અને અધર્મ દ્રવ્યને વિષે જીવત્વગુણ નથી; તેને અચૈતન્ય કહીએ છીએ, અને જીવને સચૈતન્ય કહીએ છીએ.
૧૨૫ સુખદુઃખનું વેદન, હિતમાં પ્રવૃત્તિ, અહિતમાં ભીતિ તે ત્રણે કાળમાં જેને નથી તેને સર્વજ્ઞ મહામુનિઓ “અજીવ' કહે છે.
૧૨૬ સંસ્થાન, સંઘાત, વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દ એમ પુદ્ગલદ્રવ્યથી ઉત્પન્ન થતા ગુણપર્યાયો ઘણા છે.
૬૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org