________________
૧૦૨ એ કાળ, આકાશ, ધર્મ, અધર્મ અને પુદ્ગલ તથા જીવ એ બધાને દ્રવ્ય એવી સંજ્ઞા છે. કાળને અસ્તિકાય એવી સંજ્ઞા નથી.
૧૦૩ એમ નિગ્રન્થનાં પ્રવચનનું રહસ્ય એવો, આ પંચાસ્તિકાયના સ્વરૂપવિવેચનનો સંક્ષેપ તે જે યથાર્થપણે જાણીને, રાગ અને દ્વેષથી મુક્ત થાય તે સર્વ દુઃખથી પરિમુક્ત થાય.
૧૦૪ આ પરમાર્થને જાણીને જે મોહના હણનાર થયા છે અને જેણે રાગદ્વેષને શાંત કર્યા છે તે જીવ સંસારની દીર્ધ પરંપરાનો નાશ કરી શુદ્ધાત્મપદમાં લીન થાય.
ઈતિ પંચાસ્કિાય પ્રથમ અધ્યાય.
૧૦૫ મોક્ષના કારણ શ્રી ભગવાન મહાવીરને ભક્તિપૂર્વક મસ્તક નમાવી તે ભગવાનનો કહેલો પદાર્થ પ્રભેદરૂપ મોક્ષનો માર્ગ કહું છું.
૧૦૬ સમ્યકત્વ, આત્મજ્ઞાન અને રાગદ્વેષથી રહિત એવું ચારિત્ર, સમ્યફબુદ્ધિ જેને પ્રાપ્ત થયેલ છે, એવા ભવ્યજીવને મોક્ષમાર્ગ હોય.
૧૦૭ તત્ત્વાર્થની પ્રતીતિ તે “સમ્યકત્વ', તત્ત્વાર્થનું જ્ઞાન તે “જ્ઞાન, અને વિષયના વિમૂઢ માર્ગ પ્રત્યે શાંતભાવ તે “ચારિત્ર'.
૧૦૮ “જીવ', “અજીવ', 'પુણ્ય', “પાપ”, “આશ્રવ’, ‘સંવર’, ‘નિર્જરા', 'બંધ', અને “મોક્ષ” એ ભાવો તે “તત્ત્વ” છે.
૧૦૯ “સંસારસ્થ” અને “સંસારરહિત’ એમ બે પ્રકારના જીવો છે. બન્ને ચૈતન્યોપયોગ લક્ષણવાળા) છે. સંસારી દેહસહિત અને અસંસારી દેહરહિત જીવો છે.
૧૧૦ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ જીવસંશ્રિત છે. તે જીવોને મોહનું પ્રબળપણું છે અને સ્પર્શઇન્દ્રિયના વિષયનું તેને જ્ઞાન છે.
૧૧૬ તેમાં ત્રણ સ્થાવાર છે. અલ્પ યોગવાળા અગ્નિ અને વાયુકાય તે ત્રસ છે. તે મનના પરિણામથી રહિત “એકઈન્દ્રિય જીવો' જાણવા.
૧૧૨ એ પાંચ પ્રકારનો જીવસમૂહ મનપરિણામથી રહિત અને એકેદ્રિય છે. એમ સર્વશે કહ્યું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org