________________
૮૯ (ગત સ્થિતિમાન પદાર્થો તો પોતાના પરિણામોથી ગતિ અને સ્થિતિ કરે
છે.)
૯૦ સર્વ જીવોને તથા બાકીના પુદ્ગલાદિને સંપૂર્ણ અવકાશ આપે છે તેને લોકાકાશ' કહીએ છીએ.
૯૧ જીવ, પુદ્ગલસમૂહ, ધર્મ અને અધર્મ એ દ્રવ્યો લોકથી અનન્ય છે, અર્થાત્ લોકમાં છે, લોકથી બહાર નથી. આકાશ લોકથી પણ બહાર છે, અને તે અનંત છે, જેને “અલોક' કહીએ છીએ.
૯૨ જો ગમન અને સ્થિતિનું કારણ આકાશ હોત તો ધર્મ અને અધર્મદ્રવ્યના અભાવને લીધે સિદ્ધ ભગવાનનું અલોકમાં પણ ગમન હોત.
૯૩ જે માટે સિદ્ધ ભગવાનનું સ્થાન ઊર્ધ્વલોકાતે સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યું છે; તેથી ગમન અને સ્થાનનું કારણ આકાશ નથી એમ જાણો.
૯૪ જો ગમનનો હેતુ આકાશ હોત અથવા સ્થાનનો હેતુ આકાશ હોત, તો અલોકની હાનિ થાય અને લોકના અંતની વૃદ્ધિ પણ થાય.
૯૫ તેથી ધર્મ અને અધર્મ દ્રવ્ય ગમન તથા સ્થિતિનાં કારણ છે, પણ આકાશ નથી. આ પ્રમાણે લોકનો સ્વભાવ શ્રોતા જીવો પ્રત્યે સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યો છે.
૯૬ ધર્મ, અધર્મ અને (લોક) આકાશ અપૂથભૂત (એકક્ષેત્રાવગાહી) અને સરખાં પરિમાણવાળાં છે. નિશ્ચયથી ત્રણે દ્રવ્યની પૃથક્ ઉપલબ્ધિ છે; પોતપોતાની સત્તાથી રહ્યાં છે. એમ એકતા અનેકતા છે.
૯૭ આકાશ, કાળ, જીવ, ધર્મ અને અધર્મ એ દ્રવ્યો મૂર્તતારહિત છે, અને પુલદ્રવ્ય મૂર્તિ છે. તેમાં જીવ દ્રવ્ય ચેતન છે.
૯૮ જીવ અને પુદ્ગલ એકબીજાને ક્રિયાનાં સહાયક છે. બીજાં દ્રવ્યો (તે પ્રકારે) સહાયક નથી. જીવ પગલદ્રવ્યનાં નિમિત્તથી ક્રિયાવાન હોય છે. કાળના કારણથી પુદ્ગલ અનેક સ્કંધપણે પરિણમે છે.
૯૯ જીવને જે ઈન્દ્રિયગ્રાહ્ય વિષય છે તે પુદ્ગલદ્રવ્ય મૂર્તિ છે; બાકીનાં અમૂર્ત છે. મન પોતાના વિચારના નિશ્ચિતપણાથી બન્નેને જાણે છે.
૧00 કાળ પરિણામથી ઉત્પન્ન થાય છે. પરિણામ કાળથી ઉત્પન્ન થાય છે. બન્નેનો એમ સ્વાભાવ છે. “
નિશ્ચયકાળથી “ક્ષણભંગુરકાળ' હોય છે. ૧૦૧ કાળ એવો શબ્દ સદ્દભાવનો બોધક છે, તેમાં એક નિત્ય છે, બીજો ઉત્પવ્યયવાળો છે, અને દીર્ધાતર સ્થાયી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org