________________
૭૮ વિવલાએ કરીને મૂર્ત, (પૃથવી, પાણી, અગ્નિ, વાયુ) ચાર ધાતુનું કારણ જે છે તે પરમાણુ જાણવા યોગ્ય છે; તે પરિણામી છે, પોતે અશબ્દ છે, પણ શબ્દનું કારણ છે.
૭૯ સ્કંધથી શબ્દ ઉત્પન્ન થાય છે. અનંત પરમાણુઓના મેલાપ, તેનો સંઘાત, સમૂહ તેનું નામ “સ્કંધ'. તે સ્કંધો પરસ્પર સ્પર્શાવાથી, અથડાવાથી નિશ્ચય કરીને “શબ્દ” ઉત્પન્ન થાય છે.
૮૦ તે પરમાણુ નિત્ય છે, પોતાના રૂપાદિ ગુણોને અવકાશ, આધાર આપે છે, પોતે એકપ્રદેશી હોવાથી એક પ્રદેશથી ઉપરાંત અવકાશને પ્રાપ્ત થતો નથી, બીજા દ્રવ્યને અવકાશ (આકાશની પેઠે) આપતો નથી, સ્કંધના ભેદનું કારણ છે - સ્કંધના ખંડનું કારણ છે, સ્કંધનો કર્તા છે, કાળના પરિમાણ (માપ) સંખ્યા(ગણના)નો હેતુ છે,
૮૧ એક રસ, એક વર્ણ, એક ગંધ અને બે સ્પર્શ, શબ્દની ઉત્પત્તિનું કારણ, અને એકપ્રદેશાત્મકપણે અશબ્દ, સ્કંધપરિણમિત છતાં વ્યતિરિક્ત દ્રવ્ય તે પરમાણુ જાણવો.
૮૨ ઈન્દ્રિયોએ કરી ઉપભોગ્ય, તેમ જ કાયા, મન અને કર્મ આદિ જે જે અનંત એવા મૂર્વ પદાથોં છે તે સર્વ પુદ્ગલદ્રવ્ય જાણવું.
૮૩ ધર્માસ્તિકાય અરસ, અવર્ણ, અગંધ, અશબ્દ અને અસ્પર્શ છે, સકળલોકપ્રમાણ છે, અખંડિત, વિસ્તીર્ણ અને અસંખ્યાત પ્રદેશાત્મક દ્રવ્ય છે.
૮૪ અનંત અગુરુલઘુગુણપણે તે નિરંતર પરિમિત છે. ગતિક્રિયાયુક્ત જીવાદિને કારણભૂત છે; પોતે અકાર્ય છે, અર્થાત્ કોઈથી ઉત્પન્ન થયેલું તે દ્રવ્ય નથી.
૮૫ જેમ મલ્યની ગતિને જળ ઉપકાર કરે છે, તેમ જીવ અને પુદ્ગલદ્રવ્યની ગતિને ઉપકાર કરે છે તે “ધમસ્તિકાય” જાણવો.
૮૬ જેમ ઘમસ્તિકાય દ્રવ્ય છે તેમ અધર્માસ્તિકાય પણ છે એમ જાણો. સ્થિતિક્રિયાયુક્ત જીવ, પુદ્ગલને તે પૃથ્વીની પેઠે કારણભૂત છે.
૮૭ ઘમસ્ત ડાય અને ખપસ્તાવને લીધે લોક અલોનો વિભાગ થાય છે. એ ધર્મ અને અધર્મ દ્રવ્ય પોતા દેશથી ફરીને જજુદાં જાદા છે. પોત હલનચલન ક્રિયાથી રહિત છે, અને લોકપ્રિમાણે છે.
૯૮ ઘમસ્તકાય જીવ, યુગલને થલાવે છેએમ (થી, જીવ દૂગલ ગતિ કરે છે તેને સહાયક છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org