________________
પ્રયોગ છે. જેમ એકનું નામ દ્રવ્ય સંગ્રહ અને બીજાનું નામ પંચાસ્તિકાય સંગ્રહ છે, તેમ બનેના પ્રથમ અધિકારમાં પંચાસ્તિકાયો અને દ્રવ્યોનું એક એવું વર્ણન
જીવાસ્તિકાય અને અજીવાસ્તિકાય દ્રવ્યનું વર્ણન જેવા સ્વરૂપમાં પંચાસ્તિકાય સંગ્રહમાં છે તેવું જ દ્રવ્ય સંગ્રહમાં પણ છે. તફાવત એટલો છે કે પંચાસ્તિકાય સંગ્રહમાં બીજા અધિકારમાં જયાં નવ પદાર્થોનું વર્ણન છે, ત્યાં દ્રવ્યસંગ્રહમાં તે છોડી દીધું છે અને સીધા આસ્ત્રવ પદાર્થનું વર્ણન શરૂ કરી દીધું છે. જીવઅજીવનું વર્ણન દ્રવ્યોના સંદર્ભમાં થઈ ગયું છે, તેમ માનીને સંક્ષિપ્ત બનાવવાના લોભમાં તેને છેડી દીધું છે.
એક વાત અવશ્ય ઉલ્લેખનીય છે કે નવ પદાર્થોનો ક્રમ દ્રવ્યસંગ્રહમાં પંચાસ્તિકાય સંગ્રહના અનુસાર ન રાખી તત્ત્વાર્થ સૂત્રના અનુસાર રાખ્યો છે.
આચાર્ય કુંદકુંદ દવે રચેલો પંચાસ્તિકાય સંગ્રહ એક એવો મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે, જેના અધ્યયન વગર સમયસાર, પ્રવચનસાર જેવા મહાન ગ્રંથોનો મર્મ સમજવો સહજ સંભવ નથી, તેમજ તેમની અપેક્ષા આ ઓછો પ્રચલિત હોવાનું કારણ દ્રવ્યસંગ્રહથી તેની વિષય વસ્તુ સંબંધી માહિતી મળી જાય છે.
સમયસારની જેમ જ નિરંતર તેના પઠન-પાઠનની આવશ્યકતા છે. આચાર્ય અમૃતચંદ્રની “સમયવ્યાખ્યા' ટીકાથી અલંકૃત આ પંચાસ્તિકાય સંગ્રહ ગ્રંથના અધ્યયન મનનમાં વસ્તુ વ્યવસ્થાના સભ્યજ્ઞાનની સાથે સાથે જે આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત થશે, તે અન્યત્ર અસંભવ નહી તો દુર્લભ તો અવશ્ય હશે, આત્માર્થી ભાઈઓને હાર્દિક અનુરોધ છે કે તેઓ આ ગ્રંથનો સ્વાધ્યાય અવશ્ય કરે, એક વાર નહીં પણ ફરી ફરીને કરે.
આ જ કારણથી પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ કુંદકુંદ આચાર્યના બધા ગ્રંથોમાંથી ફક્ત આ જ ગ્રંથનું સંક્ષિપ્ત સ્વરૂપ અમુક મુમુક્ષુઓના લાભાર્થે લખ્યું હતું જે અહી નીચે આપ્યું છે. દ્રવ્યાનુયોગનો આ ગ્રંથ એક અપ્રતિમ ગ્રંથ તરીકે તેમણે માન્યો હતો. અને તે ગ્રંથ વિષે તેમણે પત્રાંક ૮૬ ૬ માં લખ્યું છે કે “કોઈ મહતુ પુરૂષના મનન અર્થે પંચાસ્તિકાયનું સંક્ષિપ્ત સ્વરૂપ લખ્યું હતું.
૫૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org