________________
ગાથાઓમાં ફેલાએલા આ પ્રકરણમાં આત્માના સ્વરૂપને જીવત્વ, ચેતયિત્વ, ઉપયોગત્વ, પ્રભુત્વ, કતૃત્વ, ભોકતૃત્વ, દેહપ્રમાણત્વ, અમૂર્તત્વ અને કર્મસંયુક્તત્વના રૂપમાં સ્પષ્ટ કર્યું છે.
ઉપરનાં બધાં વિશેષણોથી વિશિષ્ટ આત્માને સંસાર અને મુક્ત એમ બન્ને અવસ્થાઓ લઈને સમજાવ્યો છે.
ત્યાર બાદ ૯ ગાથાઓમાં પૂગલ દ્રવ્યાસ્તિકાયનું વર્ણન છે અને ૭ ગાથાઓમાં ધર્મ-અર્ધમ બન્ને દ્રવ્યાસ્તિકાયનું વર્ણન છે તથા ૭ ગાથાઓમાં આકાશ દ્રવ્યાસિકાયનું નિરૂપણ કર્યું છે. પછી ૩ ગાથાઓની ચૂલિકા છે, જેમાં ઉપરના પંચાસ્તિકાયોના મૂર્તત્વ-અમૂર્તત્વ, ચેતનત્વ-અચેતનત્વ અને સક્રિયત્વ-નિષ્ક્રિયત્ન રૂપ બતાવ્યું છે.
પછી ૩ ગાથાઓમાં કાળદ્રવ્યનું વર્ણન કરી અંતિમ ર ગાથાઓમાં પ્રથમ શ્રુતસ્કંધ અથવા પ્રથમ મહા-અધિકારનો ઉપસંહાર કરીને તેના અધ્યયનનું ફળ બતાવ્યું છે.
આ પ્રમાણે ૧૦૪ ગાથાઓનો પ્રથમ શ્રુતસ્કન્ધ સમાપ્ત થાય છે. ૧૦પમી ગાથાથી દ્વિતીય શ્રુતસ્ક શરૂ થાય છે. પ્રથમ ગાથા ૧૦૫માં મંગળાચરણ ઉપરાંત બીજી અને ત્રીજી ગાથા (૧૦૬ અને ૧૦૭) માં મોક્ષના માર્ગરૂપ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રનું નિરૂપણ કર્યું છે. આગળ સમ્યગ્દર્શન-જ્ઞાનના વિષયભૂત નવપદાર્થોનું વર્ણન શરૂ થાય છે, જે આ ખંડનો મૂળ વિષય છે. મોક્ષમાર્ગનું કથન તો નવ પદાર્થોના ઉપાદ્યાત માટે કર્યું છે. આ વાતનો ઉલ્લેખ આચાર્ય અમચંદ્ર ૧૦૭મી ગાથાની ટીકાના અંતમાં પોતે કર્યો છે.
આનો પ્રારંભ ઉમાસ્વામીના તત્ત્વાર્થસૂત્ર જેવો જ છે. તેમાં પણ સમ્યગ્દર્શન-જ્ઞાનની વાત લઈને તેના વિષયભૂત જીવાદિ તત્ત્વાર્થોનું નિરૂપણ કર્યું છે.
પ્રારંભ તત્ત્વાર્થસૂત્ર જેવો હોવા છતાં પણ તત્ત્વાથનો ક્રમ સમયસારના ક્રમ અનુસાર જ આપ્યો છે. તત્ત્વાર્થોનાં નામ-ક્રમ બતાવતી મૂળ ગાથા ૧૦૮ (ગુજરાતી અનુવાદ) નીચે પ્રમાણે છે.
“બે ભાવ-જીવ અજીવ, તગત પુણ્ય તેમ જ પાપ ને
આસ્રવ સવર, નિર્જર, વળી બંધ મોક્ષ પદાર્થ છે.” અર્થ: જીવ અને અજીવ - બે ભાવો (અર્થાત મૂળ પદાથી તથા તે બેનાં વિશે પુણ્ય, પાપ, આસ્ત્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ પદાર્થો છે.
४८
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org