________________
છે( અર્થાત જે જિનસૂત્રોના મર્મને જાણે છે). કષાયોને જેણે શમાવ્યા છે અને જે અધિક તપવાળો છે એવો જીવ પણ જો લૌકિક જનોના સંસર્ગને છોડતો નથી.તો તે સયત રહેતો નથી (અર્થાત અસયત થઈ જાય છે)
લૌકિકજનની પરિભાષા પ્રવચનસારની ગાથા ૨૬૯ માં નીચે પ્રમાણે આપી છે :
નિરૂપ દીક્ય વડે સાયમતપે સંયુક્ત જે
લૌકિક કહો તેને ય જો છોડે ન ઐહિક કર્મને.” અર્થ :- જે (જીવ) નિગ્રંથપણે દીક્ષિત હોવાથી સંયમ-તપ સંયુક્ત હોય તે પણ, જો તે ઐહિક કાર્યો સહિત વર્તતો હોય તો, “લૌકિક' કહ્યો છે,
આ અધિકારમાં ભાવલિંગી સંતોના શુભ ઉપયોગની શું મર્યાદાઓ છે તેના ઉપર સર્વાગરૂપે પ્રકાશ પાડયો છે.
૨૭૧ થી ૨૭પ ગાથા સુધીની અંતિમ પાંચ ગાથાઓ પંચરત્નના નામથી પ્રસિધ્ધ છે. તેમાં મુનિરાજોને જ સંસારતત્ત્વ અને મુનિરાજોને જ મોક્ષતત્ત્વ અને મોક્ષના સાધન તત્ત્વ કહ્યા છે. વસ્તુના અયથાર્થરૂપને ગ્રહણ કરનાર અંનત સંસારી શ્રમણાભાષ જ સંસારતત્ત્વ છે તથા વસ્તુસ્વરૂપના યથાર્થ જ્ઞાતા આત્માનુભવી શુદ્ધોપયોગી શ્રમણ જ મોક્ષતત્ત્વ છે, મોક્ષના સાધનતત્ત્વ છે.
છેવટે મંગળ આર્શીર્વાદ આપતાં આચાર્ય કહે છે કે જે વ્યક્તિ જિનેન્દ્ર ભગવાનના પ્રવચનોનો સાર આ પ્રવચનસાર” ગ્રંથને સારી રીતે અધ્યયન કરશે, તે પ્રવચનના સારરૂપ શુદ્ધાત્માને અવશ્ય પ્રાપ્ત કરશે.
આચાર્ય અમૃતચંદ્ર પ્રમાણે આચાર્ય કુન્દ કુન્દ કૃત પ્રવચનસાર ર૭૫ ગાથાઓમાં અહીં સમાપ્ત થાય છે. ત્યારબાદ આચાર્ય અમૃતચંદ્ર પોતાની તત્ત્વદીપિકા ટીકાના પરિશિષના રૂપમાં ૪૭ નયોની ચર્ચા કરે છે, જે મૂળ પાઠમાંથી વાંચવા યોગ્ય છે.
આચાર્ય અમૃતચંદ્રકૃત સમયસારની આત્મખ્યાતિ નામની ટીકાના અંતમાં સમાવેશ કરેલી શક્તિઓ અને પ્રવચન સારની તત્ત્વદીપિકા ટીકાના અંતમાં સમાવેશ કરેલ ૪૭ નયોનું નિરૂપણ આચાર્ય અમૃતચંદ્રની પોતાની વિશેષતા છે.
અભૂતપૂર્વ વિષયવસ્તુ અને પ્રૌઢ પ્રતિપાદન – શૈલીના કારણે આ પ્રવચનસાર પરમાગમ આજ પણ અદ્વિતિય છે. મોહ અને ક્ષોભથી રહિત સામ્યભાવરૂપ આત્મપરિણામોની પ્રાપ્તિના માર્ગદર્શક આ પ્રવચનસાર ગ્રંથ માત્ર વિદ્વાનોના અધ્યયનની જ વસ્તુ નથી પણ તેનું ઉડાણથી અધ્યયન કરવું પ્રત્યેક આત્માર્થીનું પ્રથમ કર્તવ્ય છે.
જૈન દર્શનમાં પ્રતિપાદિત વસ્તુવ્યવસ્થાના સભ્યસ્વરૂપને જાણવા માટે આચાર્ય કુન્દકુન્દની આ કૃતિ સર્વ અધિક મહત્વપૂર્ણ અને અત્યંત ઉપયોગી છે.
४४
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org