________________
પંચાસ્તિકાય સંગ્રહ
પંચાસ્તિકાય સંગ્રહમાં જિન સિધ્ધાંત અને જિન અધ્યાત્મનું પ્રવેશ દ્વાર છે. તેમાં જિન આગમમાં પ્રતિપાદિત દ્રવ્ય વ્યવસ્થા અને પદાર્થ વ્યવસ્થાનો સંક્ષેપમાં પ્રાથમિક પરિચય આપ્યો છે.
જિન આગમમાં પ્રતિપાદિત દ્રવ્ય અને પદાર્થ વ્યવસ્થાની સમ્યક માહિતી વગર જિન આગમ અને જિન અધ્યાત્મમાં પ્રવેશ મેળવવો સંભવ નથી, તેથી પંચાસ્તિકાય સંગ્રહ' ગ્રંથ સર્વ પ્રથમ સ્વાધ્યાય કરવા યોગ્ય છે.
તેની રચના પણ શિવકુમાર મહારાજ આદિ સંક્ષેપ રુચિવાળા પ્રાથમિક શિષ્યો માટે જ કરી હતી.
મહાશ્રમણ તીર્થંકરદેવની વાણી દિવ્યધ્વનિ અથવા પ્રવચનનો સાર જ આ ગ્રંથમાં સંક્ષેપમાં ભરી દીધો છે. પોતાનું તેમાં કાંઈ પણ કહ્યું નથી.
આ વિષે આચાર્ય કુન્દકુન્દ પંચાસ્તિકાય સંગ્રહની ગાથા ૧૭૩ અને ૧૦૩ માં નીચે મુજબ લખે છે: -
મેં માર્ગ-ઉદ્યોતાર્થ પ્રવચનભક્તિથી પ્રેરાઈને,
કહ્યું સર્વ પ્રવચન-સારભૂત “પંચાસ્તિ સંગ્રહ’ સૂત્રને.” (૧૭૩) અર્થ: પ્રવચનની ભક્તિથી પ્રેરિત એવા મેં માર્ગની પ્રભાવના અર્થે પ્રવચનના સારભૂત “પંચાસ્તિકાય સંગ્રહ’ સૂત્ર કહ્યું.
એ રીતે પ્રવચનસારરૂપ “પંચાસ્તિકાય સંગ્રહ’ જાણીને
“જે જીવ છોડે રાગદ્વેષ લહે સકળ દુ:ખ મોક્ષને' (૧૦૩) અર્થ: એ પ્રમાણે પ્રવચનના સારભૂત “પંચાસ્તિકાય સંગ્રહ"ને જાણીને જે રાગદ્વેષને છોડે છે, તે દુ:ખથી પરિમુક્ત થાય છે.
ઉપરની ૧૭૩મી ગાથાની ટીકામાં આચાર્ય અમૃતચંદ્ર આ વાત અધિક સ્પષ્ટ કરતાં કહ્યું છે કે
“પરમાગમના અનુરાગના વેગથી ચલાયમાન મારા મનને કુન્દકુન્દ ભગવાન સર્વશે કહેલ અને સમસ્ત વસ્તુતત્ત્વના સૂચક હોવાથી અત્યંત વિસ્તૃત જિનપ્રવચનના સારભૂત આ “પંચાસ્તિકાય સંગ્રહ' નામનો સૂત્રગ્રંથ સંક્ષેપમાં કહ્યો.
આ ગ્રંથના દેખીતી રીતે બે ખંડ છે, જેને “સમય વ્યાખ્યા” નામની ટીકામાં
૪૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org