________________
આ અધિકારમાં મુખ્યત્વે એમ બતાવ્યું છે કે છઠ્ઠ-સાતમે ગુણસ્થાને ઝુલતા સાચા ભાલિંગી મુનિરાજોની ભૂમિકામાં કેવા પ્રકારનાં શુભ પરિણામ સંભવે છે અને કેવાં શુભ પરિણામ સંભવતાં નથી. મુનિધર્મનું સાચું સ્વરૂપ સમજવાના ઇચ્છુક મહાનુભાવોએ આ પ્રકરણનું અધ્યયન ઉડાણમાં કરવું જોઇએ.
આત્મા અનુભવી વીતરાગી સંતોના પણ શુભ ઉપયોગના સંદર્ભમાં આચાર્ય કુન્દ કુન્દના દષ્ટિકોણને સ્પષ્ટ કરતી પ્રવચનસારની ગાથાઓ ૨૪૭ અને ૨૫૩ એક ઉદાહરણરૂપે નીચે આપી છે:
“શ્રમણો પ્રતિ વંદન, નમન, અનુગમન, અભ્યુત્થાન ને
વળી શ્રમનિવારણ છે ન નિદિત રાયુત ચર્ચા વિષે.” (૨૪૭)
અર્થ:- શ્રમણો પ્રત્યે વંદન નમસ્કાર સહિત અભ્યુત્થાન (માનાર્થે ઊભા થઇ જવું તે) અને અનુગમનરૂપ (પાછળ ચાલવું તે) વિનીત (વિનયયુક્ત, સન્માનયુક્ત, વિવેકી, સભ્ય) વર્તન કરવું તથા તેમનો શ્રમ દુર કરવો તે રાગચર્યામાં નિદિત નથી.
“સેવા નિમિત્તે રોગી-બાળક-વૃધ્ધ-ગુરૂ શ્રમણો તણી, લૌકિક જનો સહ વાત શુભ-ઉપયોગયુત નિદત નથી.” (૨૫૩)
અર્થ : વળી રોગી, ગુરૂ (પૂજય, વડેરા), બાળ અને વૃધ્ધ શ્રમણોના સેવાના (વૈયાવૃત્યના) નિમિત્તે, શુભોપયોગવાળી લૌકિક જનો સાથેની વાતચીત નિશ્ચિંત નથી.
ઉપરની બન્ને ગાથાઓમાં એક વાત જોર આપીને કહી છે કે આપણાથી મોટા શુદ્ધોપયોગી સંતોનો યથા યોગ્ય વિનય સંબંધી શુભરાગ અથવા તેમની વૈયાવૃત્તિ આદિ માટે લૌકિકજનો સાથે ચર્ચા પણ નિદિત નથી. આ કાર્ય શુદ્દોપયોગરૂપ ધર્મ સમાન અભિનંદનીય અર્થાત ઉપાદેય તો નથી પણ નિંદનીય પણ નથી, ક્ષમાના યોગ્ય અપરાધ છે. વાસ્તવિક ધર્મ તો શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ જ છે, આ તો શુદ્ધોપયોગનો સહચારી હોવાથી વ્યવહાર ધર્મ કહેવાય છે. તે સંવર નિર્જરારૂપ નથી, આસ્ત્રવ જ છે. આ સિવાય ગૃહસ્થને યોગ્ય શુભરાગ તો મુનિઓને સર્વથા હેય જ છે.
લૌકિકજનોના સંપર્કમાં રહેનારા શ્રમણો માટે આચાર્ય કુન્દ કુન્દનો પ્રવચનસારની ૨૬૮ મી ગાથામાં આપેલો ઉપદેશ ધ્યાનમાં લેવા જેવો છે.
“સૂત્રાર્થપદ નિશ્ચય, કષાય પ્રશāત, તપ-અધિકત્વ છે, તે પણ અસયત થાય, જો છોડે ન લૌકિક સંગને.”
અર્થ :- સૂત્રો અને અર્થોના પદને (અધિષ્ઠાનને) જેણે નિશ્ચિત (નિર્ણીત) કરેલ
૪૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org