________________
આ જ ગાથાનો ભાવા અનુવાદ પંડિત દૌલતરામજીએ છ ઢાળામાં ચતુર્થ ઢાળના છેદ ૫ માં નીચે મુજબ કર્યો છે.
“કોટિ જન્મ તપ તપે જ્ઞાન વિન કર્મ ખરે જે
જ્ઞાનીનાં ક્ષણ માહિ ત્રિગુતિથી સહજ ટળે તે. જેમ આ અધિકારમાં આગમજ્ઞાનની અદ્દભૂત મહિમા ગાઈ છે તેમ આત્મજ્ઞાન શુન્ય આગમ જ્ઞાનને નિરર્થક પણ બતાવ્યું છે. જે નીચે પ્રમાણે પ્રવચનસાર ગાથા ૨૩૯ માં કહ્યું છે:
“અણુમાત્ર પણ મૂચ્છ તણો સદ્ભાવ જો દેહાદિકે,
તો સર્વ આગમધર ભલે પણ નવ લહે સિદ્ધત્વને” અર્થ :- જો દેહાદિક પ્રત્યે પરમાણું જેટલી પણ મૂચ્છ વર્તતી હોંય, તો તે ભલે સર્વ આગમધર હોય તો પણ સિદ્ધિ પામતો નથી.
આમ આ અધિકારમાં આત્મજ્ઞાન સહિત આગમજ્ઞાનનાં જ ગીત ગાયાં છે.
અંતમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી સંપન્ન શ્રમણોના સ્વરૂપ ઉપર પ્રકાશ નાખતાં પ્રવચનસાર ગાથા ૨૪૧ માં કહે છે કે
“નિંદા-પ્રશંસા, દુ:ખ-સુખ, અરિ-બંધુમાં જયાં સામ્ય છે.
વળી લોષ-કનકે, જીવિત-મરણે સામ્ય છે, તે શ્રમણ છે. અર્થ- શત્રુ અને બંધુ વર્ગ જેને સમાન છે, સુખ અને દુઃખ જેને સમાન છે પ્રસંશા અને નિંદા પ્રત્યે જેને સમતા છે. પોષ (માટીનું ઢેફ) અને કાંચન (સોનું) જેને સમાન છે તેમજ જીવિત અને મરણ પ્રત્યે જેને સમતા છે, તે શ્રમણ છે. તાત્પર્ય એ છે કે અનુકૂળ-પ્રતિકૂળ બધા પ્રસંગોમાં સમતાભાવ રાખવો તે સાધુપણું છે.
આ ગાથાના આધાર ઉપર પંડિત દૌલતરામજી છઢાળાની છઠ્ઠી ઢાલનાં છંદ ૬ માં લખે છે :
“અરિ-મિત્ર, મહેલ-મસાણ, કંચન-કાંચ, નિંદા-સ્તુતિકર,
અર્થ અવતારન અસિપ્રહારનમાં સદા સમતા ધારન.” ગાથા ૨૪૫ થી શુભોપયોગ પ્રજ્ઞાપન આરંભ થાય છે, જે ૨૭૦ મી ગાથા સુધી ચાલે છે. જ્ઞાનતત્ત્વ પ્રજ્ઞાપનમાં આ વિષયથી સંબંધિત શુભ પરિણામ અધિકાર આવી ગયો છે, પણ અહીં ભાવલિંગી મુનિ ભગવંતોને રહેતા શુભ ઉપયોગની દષ્ટિથી નિરૂપણ છે. જો કે આ શુભ ઉપયોગ પણ આસ્ત્રવનું જ કારણ છે, તો પણ તે ભાવલિંગી સંતોમાં પણ જોવામાં આવે છે.
૪૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org