________________
આ પછી ઊપાધિ ત્યાગના સંદર્ભમાં વિસ્તારથી ચર્ચા કરી છે. તેમાં યોગ્ય આહાર, વિહાર અને ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગની પણ ચર્ચા છે. આ સંપૂર્ણ પ્રકરણ મૂળ પાઠમાંથી વાંચવા ભલામણ છે.
અંતમાં ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગની મૈત્રી બતાવતાં પ્રવચનસાર ગાથા ૨૩૦ માં આચાર્યદેવ લખે છે:
“વૃદ્ધત્વ, બાળપણા વિષે, ગ્લાનત્વ, શ્રાંત દશા વિષે,
ચર્ચા ચરો નિજયોગ્ય, જે રીતે મૂળ છેદ ન થાય છે.” અર્થ:- બાળ, વૃધ્ધ, શ્રાંત (શ્રમિત, થાકેલો), કે ગ્લાન (વ્યાધિગ્રસ્ત, રોગી, દુર્બળ) શ્રમણ મૂળનો છેદ જે રીતે ન થાય તે રીતે પોતાને યોગ્ય આચરણ આચરે. આ વાતનો ધ્યાન રાખીને ઉત્સર્ગ અથવા અપવાદ જે પણ માર્ગ ઉપર ચાલવું સંભવ હોય, સહજ હોય, તે ઉપર ચાલો.
તાત્પર્ય એ છે કે ઉત્સર્ગ માર્ગની હઠ ન કરે. ક્ષેત્ર, કાળ અને પોતાના દેહાદિકની સ્થિતિ જોઈને આચરણ કરે, પણ એ વાતનો અવશ્ય ખ્યાલ રાખે કે શુધ્ધોપયોગરૂપ મૂળધર્મનો ઉચ્છેદ ન થઈ જાય. આમ આપણે જોઈએ છીએ કે આ અધિકારમાં જયાં એક બાજુ શિથિલાચારના વિરૂધ્ધ ચેતવણી આપી છે, ત્યાંજ અનાવશ્યક કઠોર આચરણના વિરૂધ્ધ પણ સાવધાન કર્યા છે.
ત્યાર બાદ ૨૩૨ થી ૨૪૪ ગાથામાં મોક્ષમાર્ગ પ્રજ્ઞાપન અધિકારમાં સર્વ અધિક બળ આગમ અભ્યાસ ઉપર આપવામાં આવ્યું છે. અધિકારનો આરંભ જ “આગમ ચેટ્ટા તદો જેટ્ટા”ની પંક્તિથી થાય છે.
આચાર્યદેવ કહે છે કે એકાગ્રતા વગર શામયે હોતું નથી અને એકાગ્રતા તેને જ હોય છે જેને આગમનો અભ્યાસ દ્વારા પદાર્થોનો નિશ્ચય કર્યો છે, તેથી આગમનો અભ્યાસ જ સર્વપ્રથમ કર્તવ્ય છે. - સાધુને આગમચક્ષુ કહ્યા છે. આગમરૂપી ચક્ષુના ઉપયોગ વગર સ્વ-પરભેદવિજ્ઞાન સંભવ નથી. ગુણ-પર્યાય સહિત સંપૂર્ણ પદાર્થ આગમથી જાણવામાં આવી શકે છે. આગમ અનુસાર દષ્ટિથી સંપન્ન પુરૂષ જ સંયમી હોય છે.
આ અધિકારમાં જ એક મહત્વપૂર્ણ ગાથા ૨૩૮ આવે છે, તે નીચે મુજબ
“અજ્ઞાની જે કર્મો ખપાવે લક્ષ કોટિ (દશ ખવ) ભવો વડે,
તે કર્મ જ્ઞાની ત્રિગુપ્ત બસ ઉચ્છવાસમાત્રથી ક્ષય કરે”. અર્થ- જે કર્મ અજ્ઞાની લક્ષ કોટિ ભવો વડે ખપાવે છે, તે કર્મ જ્ઞાની ત્રણ પ્રકારે (મન-વચન-કાયાથી) ગુપ્ત હોવાને લીધે ઉચ્છવાસમાત્રથી ખપાવે છે.
૪૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org