________________
“હું પૈદ્ગલિક નથી, પુદ્ગલો મેં પિંડરૂપ કર્યો નથી,
તેથી નથી હું દેહ વા તે દેહનો કર્તા નથી.” (૧૬૨) અર્થ- હું પુદ્ગલમય નથી અને તે પુદ્ગલો મેં પિંડરૂપ કર્યા નથી; તેથી હું દેહ નથી તેમ જ તે દેહનો કર્યા નથી.
આ અધિકારમાં તે મહત્ત્વપૂર્ણ ગાથા પણ છે, જે આચાર્ય કુન્દકુન્દના બધા ગ્રંથરાજોમાં જોવા મળે છે અને પરથી ભિન્ન આત્માના સ્વરૂપને સ્પષ્ટ કરનારી છે. તે ગાથા ૧૭૨મી છે અને તે નીચે પ્રમાણે છે:
“છે ચેતનાગુણ, ગંધ-રૂપ-રસ-શબ્દ-વ્યક્તિ ન જીવને,
વળી લિંગ ગ્રહણ નથી અને સંસ્થાન ભાખ્યું ન તેહને.” અર્થ:- જીવને અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત, ચેતનાગુણવાળો, અશબ્દ, અલિંગગ્રહણ (લિંગથી અગ્રાહ્ય) અને જેને કોઈ સંસ્થાન (આકાર) નથી એવો જાણ. (જાઓ સમયસાર ગાથા-૪૯, પંચાસ્તિકાય ગાથા-૧૨૭, નિયમસાર ગાથા-૪૬, ભાવપાહુડગાથા-૬૪ પ્રવચનસાર ગાથા-૧૯૨ અને નિયમસાર ગાથા ૪૪-૪૫-૪૮
અલિંગ ગ્રહણના આચાર્ય અમૃતચંદ્ર વીશ અર્થ કર્યા છે તે મૂળ પાઠમાંથી વાંચવા યોગ્ય છે.
ભેદવિજ્ઞાનના અભાવમાં ભાવકર્મ (મોહ-રાગ-દ્વેષ) દ્રવ્યકર્મ (જ્ઞાનાવરણાદિ) અને નોકર્મ (શરીરાદિ) થી બંધાયેલ આત્માને બંધન અને બંધનથી મુક્તિનો માર્ગ બતાવતાં સારાંશના રૂપમાં આચાર્યદેવ ૧૭૯મી ગાથામાં કહે છે કે:
“જીવ રક્ત બાંધે કર્મરાગ રહિત જીવ મુકાય છે;
-આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચય જાણજે.” અર્થ:- રાગી આત્મા કર્મ બાંધે છે, રાગ રહિત આત્મા કર્મથી મુકાય છે. આ જીવોના બંધનો સંક્ષેપ નિશ્ચયથી જાણ. નિશ્ચયથી બંધની પ્રક્રિયાનો સાર આટલો જ છે. આવો જ ભાવાર્થ સમયસારની ૧૫૦મી ગથામાં પણ આચાર્યદેવે કહ્યો છે:
જીવ રક્ત બાંધે કર્મને, વૈરાગ્યપ્રાપ્ત મુકાય છે,
એ જિન તણો ઉપદેશ, તેથી ન રાચ તું કમ વિષે.” અર્થ:- રાગી જીવ કર્મ બાંધે છે અને વૈરાગ્યને પામેલો જીવ કર્મથી છૂટે છે - આ જિનભગવાનનો ઉપદેશ છે, માટે (હે ભવ્ય જીવ!) તું કમોંમાં પ્રીતિ-રાગ ન કર.
૩૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org