________________
આ છન્દમાં પરથી પૃથક અને સામાન્યમાં લીન, વિશેષોથી ભરેલા આત્માને વ્યક્ત કરનાર જ્ઞાનના અંશને શુધ્ધનય કહી, આત્માની આરાધનાની પાવન પ્રેરણા આપી છે.
ત્યાર પછી ૧૨૭મી ગાથાથી ૧૪૪મી ગાથા સુધી દ્રવ્યવિશેષ અધિકારમાં જીવ, પુદગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, એ છ દ્રવ્યોને જીવ-અજીવ, મૂર્ત-અમૂર્ત, લોક-અલોક, ક્રિયાવાન-ભાવવાન, સપ્રદેશી-અમદેશી આદિ દ્વન્દોમાં વિભાજીત કરી સમજાવ્યું છે.
પછી ૧૪પમી ગાથાથી જ્ઞાન-શેય વિભાગ અધિકાર આરંભ થાય છે, જે ૨૦૦મી ગાથાએ પુરો થાય છે. આ અધિકાર શરૂ કરતાં ટીકાકાર અમૃતચંદ્ર આચાર્ય પ્રવચનસાર ગાથા ૧૪પની ઉત્થાનિકામાં લખે છે કે:- “શેયતત્ત્વ કહીને, હવે જ્ઞાન અને શેય દ્વવારા આત્માને નિશ્ચિત કરીને, આત્માને અત્યન્ત વિભક્ત કરવા માટે વ્યવહાર જીવતત્ત્વના હેતુનો વિચાર કરીએ.”
ઉપરની પંક્તિમાં એકદમ સ્પષ્ટ લખ્યું છે કે “શેયતત્ત્વ કહીને તે ઉપરથી સ્પષ્ટ થાય છે કે શેય અધિકાર અહીં સમાપ્ત થાય છે. તે છતાં જ્ઞાન અને શેયના વચ્ચે ભેદ વિજ્ઞાન કરાવનાર આ અધિકાર શેયતત્ત્વ પ્રજ્ઞાપનમાં સમાવી લેવાનું આચાર્ય અમૃતચંદ્રને યોગ્ય લાગ્યું. ૨૦૦મી ગાથા પછીના છંદો અને અત્તિમ પક્તિથી આ વાત એકદમ સ્પષ્ટ થાય છે.
ભેદજ્ઞાનની મુખ્યતાથી લખાએલ હોવાથી આ અધ્યાત્મનો અધિકાર છે. તેમાં જ્ઞાનતત્ત્વ અને શેયતત્ત્વનું નિરૂપણ એ પ્રકારે કર્યું છે કે જેથી ભેદવિજ્ઞાનની ઉત્પત્તિ થાય. દેહ શું છે, આત્મા શું છે, તે બન્નેનો સંબંધ ક્યારથી છે અને કેવો છે? આ બધી વાતોને વિસ્તારથી સમજાવતાં અંતમાં પ્રવચનસારની ગાથા ૧૬૦ થી ૧૬૨માં કહે છે કે જ્ઞાની તો આમ વિચારે છે:
“હું દેહ નહિ, વાણી ન, મન નહિ, તેમનું કારણ નહીં,
કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. (૧૬) અર્થ:- હું દેહ નથી, મન નથી, તેમ જ વાણી નથી, તેમનું કારણ નથી, કર્તા નથી, કારયિતા (કરાવનાર) નથી, કર્તાનો અનુમોદક નથી.
“મન, વાણી તેમ જ દેહ પુગલદ્રવ્યરૂપ નિર્દિષ્ટ છે;
ને તેહ પુદ્ગલદ્રવ્ય બહુ પરમાણુઓનો પિંડ છે.” (૧૬૧) અર્થ- દેહ, મન, અને વાણી પુદ્ગલ દ્રવ્યાત્મક (વીતરાગદેવે) કહ્યાં છે, અને તે દેહાદિ પુદ્ગલદ્રવ્ય પરમાણુદ્રવ્યોનો પિંડ છે.
૩૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org