________________
છેવટે અધિકારના અંતમાં ગાથા ૨૦૦મી માં કહે છે:
“એ રીત તેથી આત્માને શાયકસ્વભાવી જાણીને
નિર્મમપણે રહી સ્થિત આ પરિવજું હું મમત્વને.” અર્થ:- તેથી (અર્થાત શુદ્ધાત્મામાં પ્રવૃત્તિ વડે જ મોક્ષ થતો હોવાથી) એ રીતે આત્માને સ્વભાવથી જ્ઞાયક જાણીને હું નિર્મમત્વમાં સ્થિત રહ્યો થકો મમતાનો પરિત્યાગ કરું છું. (૩) ચરણાનુયોગ સૂચક ચૂલિકા - પ્રવચનસારની મૂળ વિષયવસ્તુ જ્ઞાનતત્ત્વ પ્રજ્ઞાપન અને શેયતત્ત્વપ્રજ્ઞાપન મહા અધિકારોમાં જ સમાપ્ત થઈ જાય છે. આ સંબંધમાં આચાર્ય જયસેને તાત્પર્યવૃત્તિ ટીકાના ચારિત્ર અધિકારની પાતનિકામાં નીચે મુજબ લખ્યું છે:
કાર્યના અનુસાર ગ્રંથ તો અહીં જ સમાપ્ત થઈ જાય છે કારણ કે હું સામ્યને પ્રાપ્ત કરું છું તે પ્રતિજ્ઞાની સમાપ્તિ અહીં જ થઈ જાય છે.”
આ અધિકારની ટીકા આરંભ કરતાં આચાર્ય અમૃતચંદ્ર લખે છે કે:
હવે બીજાઓ માટે ચરણાનુયોગ સૂચક ચૂલિકા લખીએ છીએ તેથી તેને ગ્રંથનો મૂળ અંશ માનતા નથી અને તેને ચૂલિકા માને છે. ચૂલિકા શબ્દનો અર્થ આચાર્ય જયસેન સમયસારની ૩૨ ૧મી ગાથા ની તાત્પર્યવૃત્તિની ટીકામાં આ પ્રમાણે લખે છે:
“વિશેષનું વ્યાખ્યાન, ઉક્ત અથવા અનુક્ત વ્યાખ્યાન અથવા ઉક્તાનુક્ત અર્થનું સંક્ષિપ્ત વ્યાખ્યાન - આમ “ચૂલિકા” શબ્દનો અર્થ ઉપરના ત્રણ પ્રકારે જાણવો.”
ચારિત્રના ધણી આચાર્યદવ સમ્યગ્દર્શન-જ્ઞાનના નિમિત્તભૂત વસ્તુનું સ્વરૂપ પ્રતિપાદિત કરી શિષ્યોને ચારિત્ર ધારણ કરવાની પ્રેરણા આપવા માટે આ અધિકારની રચના કરે છે.
આ વાતની પુષ્ટિ આ અધિકારના મંગળાચરણની ગાથાથી પણ થાય છે. મંગળાચરણ ગાથા ૨૦૧ માં આ પ્રમાણે છે :
“એ રીત પ્રણમી સિધ્ધ, જિનવર વૃષભ, મુનિને ફરી ફરી,
શ્રમણ્ય અંગીકૃત કરો, અભિલાષ જો દુ:ખ મુક્તિની.” અર્થ:- જો દુ:ખથી પરિમુક્ત થવાની ઈચ્છા હોય તો, પૂર્વોક્ત રીતે (જ્ઞાનતત્ત્વ પ્રજ્ઞાપનની પહેલી ત્રણ ગાથાઓ પ્રમાણે) ફરી ફરીને સિધ્ધોને, જિનવર વૃષભોને (અહંતોને) તથા શ્રમણોને પ્રણમીને, (જીવ) શ્રમણ્યને (મુનિપણાને) અંગીકાર કરો.
૩૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org