________________
શુભપરિણામોનું સમ્યક્ વિવેચન પ્રસ્તુત કરતાં અશુદ્ધોપયોગરૂપ શુભાશુભ પરિણામોને ત્યાગી સમ્યગ્દર્શન જ્ઞાનપૂર્વક શુદ્ધપયોગરૂપ વીતરાગ-ચારિત્ર ગ્રહણ કરવાની પાવન પ્રેરણા આપે છે.
(૨) શેયતત્ત્વપ્રજ્ઞાપન મહાધિકાર
ત્યાર બાદ ૯૩મી ગાથા થી ૨૦૦મી ગાથા સુધી શેયતત્ત્વપ્રજ્ઞાપન મહા અધિકાર ચાલે છે. વસ્તુસ્વરૂપના પ્રતિપાદક હોવાથી આ મહાધિકારમાં મૂલરૂપથી બે પેટા અધિકાર જ હોવા જોઇએ:- દ્રવ્ય સામાન્ય અધિકાર અને દ્રવ્યવિશેષ અધિકાર; વળી સમસ્ત જિન આગમનું મૂળ પ્રયોજન તો જ્ઞાન અને શેય (સ્વ-પર)ના વચ્ચે ભેદવજ્ઞાન કરવાનું છે; તેથી તેમાં એક જ્ઞાન-શેય વિભાગ અધિકાર નામનો ત્રીજો અધિકાર પણ છે. જ્ઞાનતત્ત્વ પ્રજ્ઞાપન અને શેયતત્ત્વપ્રજ્ઞાપનના ઉપસંહારરૂપ આ અંશને જ્ઞેયતત્ત્વપ્રજ્ઞાપનમાં જ સમાવેશ કરી લીધો છે.
આમ આ મહા અધિકારના ત્રણ પેટા અધિકાર છે:
દ્રવ્યસામાન્ય અધિકાર, દ્રવ્ય વિશેષ અધિકાર, અને જ્ઞાન-શેય વિભાગ અધિકાર.
૯૩મી થી ૧૨૬મી ગાથા સુધીના દ્રવ્યસામાન્ય અધિકારમાં સમસ્ત દ્રવ્યોના સામાન્ય સ્વરૂપ ઉપર વિચાર કર્યો છે. ગુણ પર્યાય વાળા દ્રવ્યોનું લક્ષણ સત્ છે અને સત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમય હોય છે; તેથી આ અધિકારમાં ઉત્પાદ-વ્યયધ્રૌવ્ય અને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક વસ્તુનું ઊંડાણથી ચિંતન કરવામાં આવ્યું છે.
સત્, સત્તા, અસ્તિત્વ-બધા એકાર્થવાચી છે. વસ્તુની સત્તા અથવા અસ્તિત્વ સિદ્ધ થયા વગર તેનું વિસ્તૃત વિવેચન સંભવ નથી. તેથી તેમાં સર્વ પ્રથમ સત્તાના સ્વરૂપ ઉપર સતર્ક વિસ્તૃત વિવેચન કર્યું છે જે મૂળ પાઠમાંથી વાંચવા યોગ્ય છે.
મહાસત્તા (સાદ્દશ્ય-અસ્તિત્વ) અને પેટા સત્તા (સ્વરૂપ અસ્તિત્વ)ના ભેદથી, સત્તા (અસ્તિત્વ) બે પ્રકારની હોય છે.
બધાં દ્રવ્યો સરૂપ જ છે, અસ્તિત્વમય છે, સત્તા સ્વરૂપ છે; અને પ્રત્યેક દ્રવ્યની સત્તા સ્વતંત્ર છે. તેથી સત્ સામાન્યની દૃષ્ટિથી મહાસત્તાની અપેક્ષાએ બધા એક હોવા છતાં બધાનું સ્વરૂપ ભિન્ન ભિન્ન હોવાથી બધાનું અસ્તિત્વ સ્વતંત્ર છે. બધા દ્રવ્યોની એકતા સાદ્દશ્ય અસ્તિત્વ ઉપર આધારિત હોવાથી સમાનતાના રૂપમાં જ છે, અભિન્નતાના અર્થ માં નહીં.
આ અધિકાર જૈન દર્શનનું મૂળ છે, કારણકે તેમાં પ્રતિપાદિત વિષય-વસ્તુ જૈનદર્શનનું હાર્દ છે. તેથી સંપૂર્ણ અધિકાર ઉડાણમાં અનેક વાર મૂળ પુસ્તકમાંથી
Jain Educationa International
૩૫
For Personal and Private Use Only
www.jainelibrary.org