SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનના વિષયભૂત ભગવાન આત્માની વાત પણ જેઓએ નથી સાંભળી તેમના માટે જ સમયસાર લખ્યો છે, તે વાતને ભૂલાવવી કોઇ પણ રીતે યોગ્ય નથી. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના બહાનાં કાઢી પરમ્ અધ્યાત્મના પ્રતિપાદક આ શાસ્ત્રના અધ્યયનના નિષેધ કરવાવાળાએ પંડિત ટોડરમલજીના નીચેના કથન ઉપર ધ્યાન આપવું જોઇએ. “કોઈ જીવ કહે છે કે: દ્રવ્યાનુયોગમાં (સમયસાર ઇત્યાદિ ગ્રંથો) વ્રત-સંયમાદિ વ્યવહાર ધર્મનું હીનપણું પ્રગટ કર્યું છે, સમ્યગ્દષ્ટિના વિષયભોગાદિને નિર્જરાનાં કારણ કહ્યાં છે, ઈત્યાદિ કથન સાંભળી જીવ સ્વચ્છંદી બની પુણ્ય છોડી પાંપમાં પ્રવર્તશે તેથી તેનું વાંચવું, સાંભળવું યોગ્ય નથી. તેને કહીએ છીએ કે: જેમ સાકર ખાઇને ગધેડું મરી જાય તો મનુષ્ય તો સાકર ખાવી ન છોડે, પણ કોઇ વિપરીત બુધ્ધિ જીવ અધ્યાત્મગ્રંથો સાંભળી સ્વચ્છંદી થઇ જાય તો વિવેકી તો અધ્યાત્મગ્રંથોનો અભ્યાસ ન છોડે. હા, એટલું કરે કે – જેને સ્વચ્છંદી થતો જાણે તેને જેમ તે સ્વચ્છંદી ન થાય તેવો ઉપદેશ આપે. વળી અધ્યાત્મગ્રંથોમાં પણ સ્વચ્છંદી થવાનો ઠામઠામ નિષેધ કરવામાં આવે છે, તેથી જે તેને બરાબર સાંભળે છે તે તો સ્વચ્છંદી થતો નથી. છતાં કોઇ એકાદ વાત સાભળી કોઇ પોતાના અભિપ્રાયથી સ્વચ્છંદી થાય તો ત્યાં ગ્રંથનો તો દોષ નથી પણ તે જીવનો જ દોષ છે. વળી જો જૂઠી દોષકલ્પના વડે અધ્યાત્મશાસ્ત્રોના વાંચન-શ્રવણનો નિષેધ કરવામાં આવે તો મોક્ષમાર્ગનો મૂળ ઉપદેશ તો ત્યાં જ છે! એટલે તેનો નિષેધ કરતાં મોક્ષમાર્ગનો નિષેધ થાય છે. જેમ મેઘવૃષ્ટિ થતાં ઘણા જીવોનું કલ્યાણ થાય છે છતાં કોઈને ઊલટું નુકશાન થાય તો તેની મુખ્યતા કરી મેઘનો તો નિષેધ ન કરવો, તેમ સભામાં અધ્યાત્મ ઉપદેશ સાંભળતાં ઘણા જીવોને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે, છતાં કોઇ ઊલટો પાપમાં પ્રવર્તે તો તેની મુખ્યતા કરી અધ્યાત્મશાસ્ત્રનો તો નિષેધ ન કરવો. બીજું, અધ્યાત્મગ્રંથોથી કોઇ સ્વચ્છંદી થાય તે તો પહેલાં પણ મિથ્યાદષ્ટિ હતો અને આજે પણ મિથ્યાદષ્ટિ જ રહ્યો. હા, એટલું જ નુકશાન થાય કે - તેને સુગતિ ન થતાં કુતિ થાય. પરંતુ અધ્યાત્મ ઉપદેશ ન થતાં ઘણા જીવોને મોક્ષમાર્ગની પ્રાપ્તિનો અભાવ થાય છે અને તેથી ઘણા જીવોનું ઘણું બૂરું થાય છે માટે અધ્યાત્મ ઉપદેશનો નિષેધ કરવો નહી.” Jain Educationa International ૩૦ ܕ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005314
Book TitleParamagama Sara
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy