________________
પ્રવચન સાર
જિનેન્દ્ર ભગવગાનના પ્રવચન (દિવ્યધ્વનિ)નો સાર આ “પ્રવચનસાર” પરમાગમ આચાર્ય કુન્દકુન્દની સૌથી વધારે પ્રચલિત અભૂત સશક્ત રચના છે. સમસ્ત જગતને જ્ઞાનતત્વ અને શેયતત્વ (સ્વ. - પર)ના રૂપમાં પ્રસ્તુત કરનારી આ અમર કૃતિ ગત બે હજાર વર્ષોથી નિરંતર પઠન-પાઠનમાં રહી છે. આજે પણ આ ગ્રંથને વિશ્વ વિદ્યાલયોના પાઠયક્રમોમાં સ્થાન પ્રાપ્ત થયું છે.
આચાયોમાં કુન્દકુન્દ અને તેમની કૃતિઓમાં સમયસાર સર્વોપરિ છે, તેમ છતાં સમયસારને પોતાની વિશુધ્ધ આધ્યાત્મિક વિષયવસ્તુના કારણે વિશ્વવિદ્યાલયના પાઠયક્રમોમાં સ્થાન મળ્યું નથી, પણ તેની વિશિષ્ટ શૈલીમાં વસ્તુસ્વરૂપનું પ્રતિપાદન કરનાર પ્રવચનસારને સર્વત્ર પ્રવેશ મળ્યો છે.
પ્રમાણ અને પ્રમેય વ્યવસ્થાનો પ્રતિપાદક આ ગ્રંથરાજ આચાર્ય કન્ટકન્ડની એક એવી સૌથી ગંભીર અને વિલક્ષણ કૃતિ છે કે જેમાં તેઓ સંતના રૂપ ઉપરાંત ગંભીર દાર્શનિક ગુરૂના સ્વરૂપમાં પણ બહાર તરી આવ્યા અને સ્થાપિત થયા છે.
આચાર્ય જયસેનના પ્રમાણે જો પંચાસ્તિકાય સંગ્રહની રચના સંક્ષેપરુચિવાળા શિષ્યો માટે થઈ હતી, તો આ ગ્રંથરાજની રચના મધ્યમ રુચિવાળા શિષ્યો માટે થઈ હતી.
આ ગ્રંથરાજના વિષયવસ્તુને ત્રણ મહા-અધિકારોમાં વહેંચી નાખ્યો છે. ‘તત્ત્વદીપિકા” ટીકામાં આચાર્ય અમૃતચંદ્ર તેને જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન, શેયતત્ત્વપ્રજ્ઞાપન અને ચરણાનુયોગ સૂચક ચૂલિકા નામથી ઓળખાવે છે; જયારે ‘તાત્પર્યવૃતિ’ ટીકામાં આચાર્ય જયસેન સમ્યજ્ઞાન અધિકાર, સમ્યગ્દર્શન અધિકાર અને સમ્મચારિત્ર કહે છે.
આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ જયસેન આચાર્ય ટીકાના આરંભમાં જ કરી દે છે. તેઓ પોતાના વર્ગીકરણનો ઉલ્લેખ કરતાં આચાર્ય. અમૃતચંદ્રના વર્ગીકરણનો પણ ઉલ્લેખ કરે છે. આચાર્ય જયસેને પોતાના વર્ગીકરણને તાત્પર્યવૃતિ'માં પાતનિકાના રૂપમાં યોગ્ય જગ્યાએ સર્વત્ર સ્પષ્ટ કર્યું છે.
અહીં આચાર્ય અમૃતચંદ્રના વર્ગીકરણ પ્રમાણે જ પ્રવચનસાર ના અધિકારોનું વિહંગાવલોકન યોગ્ય છે.
૩૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org