________________
અત્યંત કરુણાભર્યા શબ્દોમાં આચાર્યદેવ સમયસારની ૪૧ ૨મી ગાથામાં કહે છે
“તું સ્થાપ નિજને મોક્ષપથે, ધ્યા, અનુભવ તેહને;
તેમાં જ નિત્ય વિહાર કર, નહિ વિહર પરદ્રવ્યો વિષે.” અર્થ: હે ભવ્ય જીવ! તું પોતાને નિજ આત્માના અનુભવરૂપ મોક્ષમાર્ગમાં સ્થાપિત કર, નિજાત્માનું જ ધ્યાન ધર, નિજાત્મામાં જ ચેત. નિજાત્માનો જ અનુભવ કરે અને નિજાત્માના અનુભવરૂપ મોક્ષમાર્ગમાં જ નિત્ય વિહાર કર, અન્ય દ્રવ્યોમાં વિહાર ન કર, ઉપોગને અન્યત્ર ભટકવા ન દે.
સમયસાર શાસ્ત્રનો આ જ સાર છે, તે જ શાસ્ત્ર તાત્પર્ય છે. આમ ૪૧૫ ગાથાઓમાં કુન્દકુન્દ આચાર્યકૃત સમયસાર સમાપ્ત થાય છે. ઉપરાંત અમૃતચંદ્ર આચાર્યકૃત આત્મખ્યાતિ ટીકાના પરિશિષ્ટના રૂપમાં અનેકાંતસ્યાદવાદ, ઉપાય-ઉપેયભાવ અને જ્ઞાનમાત્ર ભગવાન આત્માની ૪૭ શક્તિઓનું ઘણું જ માર્મિક વિવરણ કર્યું છે, જે મૂળ કૃતિ વાંચી જવા ભલામણ છે.
પરિશિષ્ટ્રના આરંભમાં જ આચાર્ય અમૃતચંદ્ર કહે છે કે, સ્યાદ્વાદની શુધ્ધિ માટે વસ્તુતત્વની વ્યવસ્થા અને ઉપાય-ઉપેયભાવનો જરા ફરી વિચાર કરીએ છીએ.
ગ્રંથાધિરાજ સમયસારમાં નવતત્વોના માધ્યમથી મૂળ પ્રયોજનભૂત શુધ્ધાત્મવસ્તુનું પ્રરૂપણ છે, કે જેના આશ્રયથી નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પ્રગટ થાય છે. તેથી પ્રત્યેક વ્યક્તિએ કોઈ પણ ભેદભાવ વગર તેનો સ્વાધ્યાય અવશ્ય કરવો જોઈએ.
કોઈ એમ પણ કહેતા સાંભળવામાં આવે છે કે સમયસાર તો માત્ર મુનિરાજોના અધ્યયનની વસ્તુ છે, ગૃહસ્થો (શ્રાવકો)એ તેનું અધ્યયન ન કરવું જોઈએ. તેઓ આમ ફકત કહેતા જ નથી પણ તેના પઠન-પાઠનનના નિષેધમાં પોતાની સંપૂર્ણ શક્તિ લગાવે છે.
આ ગ્રંથાધિરાજ સમયસારનું સદીઓથી ગૃહસ્થ વિદ્વાનો વડે પઠન-પાઠન થતું આવ્યું છે અને આજે પણ તેનું નિરતર પઠન પાઠન થાય છે. વિક્રમની સોળમી સદીમાં પાંડે રાજમલજીએ સમયસાર કળશો ઉપર બાલબોધની ટીકા લખી હતી, જેના આધાર ઉપર ૧૭મી સદીમાં કવિવર પંડિત બનારસીદાસજીએ સમયસાર નાટકની રચના કરી. ૧૯મી સદીમાં પંડિત જયચંદજી છાબડાએ તેની ભાષાટીકા લખી. તે જ પ્રમાણે બ. શીતલપ્રસાદજીની પણ તેના ઉપર લખેલી ટીકા પ્રકાશિત થઈ છે. ક્ષુલ્લક મનોહરલાલજી વર્ણીની સપ્તદશાંગી ટીકા પણ પ્રકાશિત થઈ
૨૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org