SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ છે કે હું તો જ્ઞાન-દર્શન સ્વભાવી આત્મા જ છું, બાકીના બીજા બધા ભાવો મારાથી ભિન્ન ભાવો છે. જેમ લોકમાં અપરાધી વ્યકિત નિરંતર શંકાસ્પદ નજરે જોવાય છે અને નિરપરાધી વ્યકિતને પૂર્ણ નિઃશંકતા રહે છે, તેવી રીતે આત્માની આરાધના કરનાર નિરપરાધી આત્માને કર્મબંધની શંકા રહેતી.નથી. મોક્ષ અધિકારનો આ જ સાર છે. આત્મખ્યાતિ કળશ ૨૦૦ માં અમૃતચંદ્ર આચાર્યે જેમ કહ્યું કે, “નાસ્તિ સર્વોપ સંબંધ: પરદ્રવ્ય માત્મ તત્ત્વો: ” તેમ જયારે આત્માને પરદ્રવ્યની સાથે કોઇ પણ સંબંધ નથી તો પછી તે પરપદાર્થોનો કર્તા-ભોકતા કેવી રીતે બની શકે? એક દ્રવ્યને બીજા દ્રવ્યનો કર્તા-ભોકતા કહેવું માત્ર વ્યવહારનું જ કથન છે, નિશ્ચયથી વિચાર કરીએ તો બે દ્રવ્યોની વચ્ચે કર્તા-કર્મભાવ જ નથી. આત્મખ્યાતિ કળશ ૨૧૦ માં અમૃતચંદ્ર આચાર્યે કહ્યુ છે કે કેવળ વ્યવહારિક દષ્ટિથી જ કર્તા અને કર્મ ભિન્ન જાણીએ છીએ, પણ જો નિશ્ચયથી વસ્તુનો વિચાર કરીએ તો કર્તા અને કર્મ સદા એક જ માનવમાં આવે છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ આદિરૂપ પરિણમિત પુદ્ગલ આત્માને એમ નથી કહેતાં કે ‘તમે અમને જાણો’ અને આત્મા પણ પોતાનું સ્થાન છોડીને તેમને જાણવા માટે જતો નથી, બન્ને પોત પોતાના સ્વભાવ અનુસાર સ્વતંત્રતાથી પરિણમે છે. આમ સ્વભાવથી આત્મા પરદ્રવ્યો પ્રતિ તદ્દન ઉદાસીન હોવા છતાં અજ્ઞાન અવસ્થામાં તેમને સારા બુરા જાણી રાગદ્વેષ કરે છે. શાસ્ત્રમાં જ્ઞાન નથી, કારણકે શાસ્ત્ર કાંઇ જાણતા નથી, તેથી જ્ઞાન અન્ય છે અને શાસ્ત્ર અન્ય છે, એમ જીનદેવ કહે છે. તેમ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ, કર્મ, ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, કાળ, આકાશ અને અધ્યવસાનમાં પણ જ્ઞાન નથી, કારણકે આ કાંઇ બધું જ જાણતા નથી, તેથી જ્ઞાન અન્ય છે અને આ બધું અન્ય છે. આ પ્રમાણે બધા પર પદાર્થો અને અધ્યવસાન ભાવોથી ભેદવિજ્ઞાન કરાવ્યું છે. અંતમાં આચાર્યદેવ કહે છે કે ઘણા લોકો લિંગ (વેષ) ને જ મોક્ષમાર્ગ માને છે, પણ નિશ્ચયથી મોક્ષમાર્ગ તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જ છે, એમ જિનદેવ કહે છે, તેથી હે ભવ્યજનો! પોતાના આત્માને આત્માના આરાધનારૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય મોક્ષમાર્ગમાં જોડો, પોતાના ચિત્તને અન્યત્ર ભટકાવો નહીં. Jain Educationa International ૨૭ For Personal and Private Use Only. www.jainelibrary.org
SR No.005314
Book TitleParamagama Sara
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy