SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ “કર્મજાળ-યોગ હિંસા ભોગથી બંધાય નહીં તે, છતાં શાતા જે ઉદ્યમી હોય વખાણ્યો જિન આગમમાં; જ્ઞાનક્રિયાવંત દેત વિષયભોગમાં હેત, બેઉ ક્રિયા એક સંગ તો બને નહીં જૈનમાં ઉદય-બળ પ્રમાણ ઉદ્યમ કરે પણ ન ફળની ઈચ્છા મનમાં, નિર્દય દશા ન હોય હૃદયના નયનમાં; આળસ નિરૂઘમની ભૂમિકા મિથ્યાત્વમાંહી, જયા ન સાંભરે નિજ જીવ મોહ નિંદ્રામાં હી. અર્થ: સ્વરૂપની સંભાળ અને ભોગોનો પ્રેમ એ બન્ને વાતો એક સાથે જ જૈનધર્મમાં હોઇ શકે નહિ, તેથી જો કે સમ્યજ્ઞાની વર્ગણા, યોગ, હિંસા અને ભોગોથી અબંધ છે તોપણ તેને પુરૂષાર્થ કરવાને માટે જિનરાજની આજ્ઞા છે. તેઓ શક્તિ પ્રમાણે પુરૂષાર્થ કરે છે પણ ફળની અભિલાષા રાખતા નથી અને હૃદયમાં સદા દયાભાવ રાખે છે, નિર્દય હોતા નથી. પ્રમાદ અને પુરૂષાર્થહીનતા તો મિથ્યાત્વ દશામાં જ હોય છે જયાં જીવ મોહનિંદ્રાથી અચેત રહે છે, સમ્યક્ત્વભાવમાં પુરૂષાર્થ હીનતા નથી. સંક્ષેપમાં બંધ અધિકારની વિષયવસ્તુ આ જ છે. પછી મોક્ષ અધિકારમાં કહે છે કે જેમ બંધનોમાં જકડાયેલો પુરુષ બંધનનો ફક્ત વિચાર કરવાથી બંધનથી મૂક્ત થતો નથી, પણ બંધનનોને છેદીને તેનાથી મુક્ત થાય છે; તેથી કર્મબંધનનો માત્ર વિચાર કરવાથી કોઇ આત્મા કર્મબંધનથી મુક્ત થતો નથી, પણ તે કર્મબંધનને છેદીને મુક્તિ પ્રાપ્ત કરે છે. જે આત્મા બંધ અને આત્માનો સ્વભાવ જાણી બંધથી વિરકત થાય છે તે જ કર્મબંધનોથી મુક્ત થાય છે. બંધ અને આત્માના વચ્ચે ભેદ કરવાનું કામ પ્રજ્ઞારૂપી છેણીથી થાય છે. સમયસાર નાટકના મોક્ષદ્વાર છંદ ૪ માં પંડિત બનારસીદાસજી એ લખ્યું છે કે “જેમ છીણી લોહની, કરે એકથી દોય, જડ ચેતનની ભિન્નતા, ત્યાં સુબુધ્ધિથી હોય.” અર્થ: જેવી રીતે લોઢાની છીણી કાષ્ટ આદિ વસ્તુના બે ટૂકડા કરી નાખે છે તેવી જ રીતે ચેતન-અચેતનનું પૃથક્કરણ ભેદ વિજ્ઞાનથી થાય છે. આત્મા અને બંધના વચ્ચે પ્રજ્ઞારૂપી છીણીને મારી જે જીવ તેમને ભિન્ન ભિન્ન ઓળખી લે છે, તે બંધને છેદીને શુધ્ધ આત્માને ગ્રહણ કરી લે છે જે પ્રજ્ઞાથી બંધથી ભિન્ન પોતાના આત્માને જાણે છે, તે જ પ્રજ્ઞાથી બંધથી ભિન્ન નિજ આત્માને ગ્રહણ પણ કરી લે છે. જ્ઞાની આત્માને બરાબર વ્યવસ્થિત જાણે Jain Educationa International ૨૬ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005314
Book TitleParamagama Sara
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy