SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે. જયારે કોઇ વ્યકિત અન્ય કોઇ વ્યકિતને આયુકર્મ અથવા શાતા-અશાતા કર્મને આપી કે લઇ શકતી નથી તો પછી તે તેના જીવન મરણ અને સુખ દુ:ખનો જવાબદાર પણ કેવીરીતે બની શકે? હા, એક વાત ચોક્કસ છે કે પ્રત્યેક જીવ બીજા જીવોને મારવા બચાવવા અને સુખી દુ:ખી કરવાના ભાવ (અધ્યવસાન) અવશ્ય કરી શકે છે અથવા તેવા ભાવ તેને થાય છે, આવે છે, અને તેના તે ભાવોના કારણે કર્મબંધમાં બંધાય છે. તેવી રીતે જુઠ્ઠું બોલવું, ચોરી કરવી, કુશીલ સેવવું, અને પરિગ્રહ ભેગો કરવો તેની બાબતમાં પણ તે પ્રમાણે જ સમજવું. આ બાબતમાં વિશેષ ચર્ચા કરવા ઉપરાંત આચાર્ય કુન્દકુન્દ સમયસાર ગાથા ૨૬૨ અને ૨૬૫ માં લખે છે મારો ન મારો જીવને, છે બંધ અધ્યવસાનથી, આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચયનય થકી.” - - “જે થાય અધ્યવસાન જીવને, વસ્તુ-આશ્રિત તે બને, પણ વસ્તુથી નથી બંધ, અધ્યવસાનમાત્રથી બંધ છે.” આ સંદર્ભમાં પ્રવચનસારની ગાથા ૨૧૭ અને ૨૧૯ નીચે મુજબ છે. “જીવો-મરો જીવ, યત્નહીન આચાર ત્યાં હિંસા નક્કી; સમિતિ-પ્રયત્નસહિતને નહિ બંધ હિંસામાત્રા થી. ૨૧૭. દૈહિક ક્રિયા થકી જીવ મરતાં બંધ થાય-નથાય છે, પરિગ્રહ થકી ધ્રુવ બંધ, તેથી સમસ્ત છોડયો યોગીએ.” ૨૧૯ તત્ત્વાર્થ સૂત્રમાં મૂર્છા (મોહભાવ)ને જ પરિગ્રહ કહ્યો છે. બંધના સંદર્ભમાં બે મહત્વની વાત છે કે. જીવોને મારો અથવા ન મારો, પણ કર્મબંધ અધ્યવસાનથી જ થાય છે. અધ્યવસાન ભાવ વસ્તુના અવલંબન પૂર્વકજ થાય છે. અને બંધ વસ્તુથી નહીં, અધ્યવસાન ભાવોથી જ થાય છે. જો કે કર્મજાળ, યોગ, હિંસા અને ભોગક્રિયાથી બંધ થતો નથી તો પણ સમ્યગદ્દષ્ટિ જ્ઞાની ધર્માત્માને અનર્ગલ પ્રવૃત્તિ હોય નહીં અને હોવી પણ ન જોઇએ; કારણકે પુરૂષાર્થહીનતા અને ભોગોમાં લીનતા .મિથ્યાત્વની ભૂમિકામાં જ હોય છે. આ વાતને સમયસાર નાટકની બંધદ્વારના છંદ ૬ માં બહુ સુંદર રીતે વર્ણવી છે- (ગુજરાતી પદ્યાનુવાદ) Jain Educationa International ૨૫ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005314
Book TitleParamagama Sara
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy