SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પાપોમાં પ્રવર્તતા મિથ્યાદષ્ટિ જીવને થતા પાપબંધનું કારણ રાગાદિભાવ જ છે, અન્ય ચેષ્ટાઓ અથવા કર્મરજ આદિ નથી. બંધ અધિકારના આરંભમાં જ અભિવ્યક્ત કરેલ આ ભાવને પંડિત બનારસીદાસજીએ સમયસાર નાટકના બંધદ્વારના છંદ, ૪માં નીચે મુજબ વ્યક્ત કર્યા છે. (ગુજરાતી પદ્યાનુવાદ) “કર્મજાળ-વર્ગણાથી જગમાં બંધાય નહીં જીવ, બંધાય નહીં કદાપિ મન વચન કાયાના યોગથી; ચેતન-અચેતનની હિંસાથી બંધાય નહીં જીવ, તેમ ન બંધાય જીવ પંચ વિષયના રોગથી. કર્મ છતાં અબંધ સિધ્ધ યોગ છતાં અબંધ જિન, હિંસાથી અબંધ સાધુ શાતા માત્ર વિષય ભોગના; ઇત્યાદિક વસ્તુના મિલાપથી ન બંધાય જીવ, બંધાય ફક્ત એક રાગાદિ અશુધ્ધ ઉપયોગથી.” અર્થ: કાર્પણવર્ગણા, યોગ, હિંસા, ઇન્દ્રિય-વિષયભોગ- એ બંધના કારણ કહેવાય છે પરંતુ સિધ્ધાલયમાં અનંતાનંત કાર્માણ પુદ્ગલ વર્ગણાઓ ભરેલી છે, તે રાગાદિ વિના સિધ્ધ ભગવાન સાથે બંધાતી નથી, તેરમા ગુણસ્થાનવર્તી અરિહત ભગવાનને મન-વચન-કાયાના યોગ રહે છે પરંતુ રાગ-દ્વેષ આદિ થતા નથી તેથી તેમને કર્મબંધ થતો નથી, મહાવ્રતી સાધુઓથી અબુધ્ધિપૂર્વક હિંસા થયા કરે છે પરંતુ રાગ-દ્વેષ ન હોવાથી તેમને બંધ નથી, અવ્રતી સમ્યગ્દષ્ટિ જીવ પંચેન્દ્રિયના વિષયો ભોગવે છે પણ તલ્લીનતા (રસ) ન હોવાથી તેમને નિર્જરા જ થાય છે. તેથી સ્પષ્ટ છે કે કાર્પણવર્ગણાઓ, યોગ, હિંસા અને સાંસારિક વિષય બંધના કારણ નથી; કેવળ અશુદ્ધિ ઉપયોગથી જ બંધ થાય છે. સારાંશ એટલો કે બંધનું મૂળ કારણ રાગાદિ ભાવરૂપ અશુધ્ધ ઉપયોગ જ છે. પ્રશ્ન થાય કે ફક્ત અશુધ્ધ ઉપયોગ જ બંધનું કારણ કેમ? પરજીવોનો ઘાત કરવો, તેમને દુ:ખ પહોંચાડવું. તેમની સંપત્તિ આદિ હરી લેવી, જુઠ્ઠું બોલવું આદિને બંધનું કારણ કેમ કહ્યું નથી? તેના ઉત્તરમાં આચાર્ય દેવ કહે છે કે પ્રત્યેક જીવ પોતાના સુખ દુ:ખ અને જીવન મરણના જવાબદાર પોતે જ છે, કોઇ અન્ય જીવ બીજા જીવને સુખી દુ:ખી કરી શકતો નથી અથવા મારી, બાળી શકતો નથી. જો કોઇ વ્યકિત બીજા કોઇનું કાંઇ જ કરી શકતો નથી તો પછી કોઇ અન્યના જીવન મરણ અને સુખ દુઃખના કારણે બીજા અન્યને બંધ પણ કેમ થાય? બધા જીવો પોતાના આયુકર્મના ઉદયથી જીવે છે અને આયુકર્મના સમાપ્ત થવાથી મરી જાય છે. તેવી જ રીતે જીવ પોતાના કર્મોદયના અનુસાર સુખી દુ:ખી ૨૪ Jain Educationa International For Personal and Private Use Only. www.jainelibrary.org
SR No.005314
Book TitleParamagama Sara
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy