________________
જતી વૃધ્ધિથી જે કર્મ ખરે છે, તેને નિર્જરા કહે છે. શુધ્ધિની વૃધ્ધિ ભાવનિર્જરા છે અને કર્મોનું ખરવું દ્રવ્યનિર્જરા છે. કવિવર બનારસદાસજીએ નિર્જરાને વંદન કરતાં તેના સ્વરૂપને સમયસાર નાટકના નિરોદ્વાર છંદ ૨ માં નીચે પ્રમાણે કહ્યું છે.
“જો ‘સંવરપદ પાઈ અનંદૈ, સૌ પૂર્વકૃત કર્મ નિક‰, જો અફદ હૈ બહિર ન ફર્દૂ, સો નિર્જરા બનારસી વદૈ”
અર્થ: જે સર્વરની અવસ્થા પ્રાપ્ત કરીને આનંદ કરે છે, જે પૂર્વે બાંધેલા કર્મોનો નાશ કરે છે, જે કર્મની જાળમાંથી છૂટીને ફરી ફસાતો નથી, તે નિર્જરાભાવને પંડિત બનારસીદાસજી નમસ્કાર કરે છે.
નિર્જરા અધિકારના આરંભમાં ગાથા ૧૯૩, ૧૯૫ અને ૧૯૬માં આચાર્ય કહે છે કે
“ચેતન અચેતન દ્રવ્યોનો ઉપભોગ ઈંદ્રિયો વડે જે જે કરે સુદૃષ્ટિ તે સૌ નિર્જરાકારણ બને.” ૧૯૩ “જયમ ઝેરના ઉપભાગેથી પણ વૈઘજન મરતો નથી, ત્યમ કર્મ ઉદયો ભોગવે પણ જ્ઞાની બંધાતો નથી.” ૧૯૫ જયમ અરતિભાવે મધ પીતાં મત્ત જન બનતો નથી, દ્રવ્યોપભોગ વિષે અરત જ્ઞાનીય બંધાતો નથી. ૧૯૬.”
અર્થ: સમ્યગ્દષ્ટિજીવ ઇન્દ્રિયો વડે જે અચેતન અને ચેતન દ્રવ્યોનો ઉપભોગ કરે છે, તે સર્વે નિર્જરાના નિમિત્ત બને છે. અને તે જ ઉપભોગ અજ્ઞાની જીવને આસ્રવનાં નિમિત્ત બને છે. ૧૯૩.
જેમ વૈદુ વિષ ખાય છતાં પણ મરણ પામતો નથી, તેમ જ્ઞાની પુદ્ગલકર્મના ઉદયને ભોગવતો છતાં બંધાતો નથી. ૧૯૫.
જેમ દારૂ અતિભાવથી પીનારો પુરૂષ છાકટો થતો નથી તેમ જ્ઞાની પુરૂષ પણ દ્રવ્યોના ઉપભોગ પ્રતિ અરતિભાવ હોવાથી બંધાતો નથી. ૧૯૬.
સમ્યગ્દષ્ટિ જ્ઞાની ધર્માત્માને ક્રિયા કરતાં અને તેનું ફળ ભોગવતાં પણ જો કર્મબંધ થતો નથી અને નિર્જરા થાય છે તો તેનું કારણ તેમના અંદર વિદ્યમાન જ્ઞાન અને વૈરાગ્યનું બળ જ છે. આ વાત નિર્જરા અધિકારમાં ઘણાજ વિસ્તારથી સ્પષ્ટ કરી છે. આ સંબંધમાં કવિવર બનારસીદાસજીના સમયસાર નાટકના નિર્જરાદ્વાર છન્દ ૩, ૬, ૩૬ અને ૪૩માં કહ્યું છે
Jain Educationa International
૨૨
For Personal and Private Use Only
www.jainelibrary.org