________________
ચેતાવતાં આચાર્ય કહે છે કે પુણ્ય-પાપ બન્ને કશીલો સાથે રાગ ન કરો, સંસર્ગ પણ ન કરો, કારણકે કુશીલની સાથે સંસર્ગ અને રાગ કરવાથી સ્વાધીનતાનો નાશ થાય છે.
આના સંદર્ભમાં સમયસારનાટકના પુણ્ય-પાપ અધિકારમાં અમુક મહત્વપૂર્ણ છંદો નીચે મુજબ છે.
પાપ બંધ પુર્યાબંધ દુહું મૈ મુક્તિ નહિ કટુક મધુર સ્વાદ પુદ્ગલ કી પેખિએ.” “દોઉ મહા અંધકુપ, દોઉ કર્મબંધ રૂપ દુહૂ કો વિનાશ મોક્ષ માર્ગ મેં દેખિયે.” “શીલ તપ સંયમ વિરતિ દાન પૂજાદિક, અથવા અસંયમ કષાય વિષયભોગ હૈ; કોઉ શુભરૂપ કોઉ અશુભરૂપ મૂલ
વસ્તુ કે વિચારત દુવિધ કર્મરોગ હૈ.” “કરમ શુભ અશુભ દોઈ, પુદગલપિંડ વિભાવ મલ,
ઈન સૌ મુક્તિ ન હોઈ, નહિ કેવલ પદ પાઈએ” અર્થ: પાપબંધ અને પુણ્યબંધ - બન્ને મોક્ષમાર્ગમાં બાધક છે, તેથી બન્નેય સમાન છે, એના કડવા અને મીઠા સ્વાદ પુગલના છે તેથી બન્નેના રસ પણ સમાન છે. બન્ને આત્મસ્વરૂપને ભૂલાવનાર છે તેથી મહા અંધારા કુવા સમાન છે અને બન્નેય કર્મબંધરૂપ છે તેથી મોક્ષર્માગમાં એ બન્નેનો ત્યાગ કહ્યો છે. શુભ અને અશુભ એ બન્ને કર્મમળ છે, પુદ્ગલપિંડ છે, આત્માના વિકાર છે, એનાથી મોક્ષ નથી થતો અને કેવળજ્ઞાન પણ પ્રાપ્ત કરી શકાતું નથી.. શુભ અશુભ ભાવરૂપ પુણ્ય-પાપભાવ ભાવ આસ્ત્રવ છે અને તેમના નિમિત્તે પૌદગલિક કામણવર્ગણાઓનું પુણ્ય-પાપ પ્રકૃતિઓરૂપ પરિણમન થવું દ્રવ્ય આશ્રવ છે. આત્મા (જીવત્વ) આ બન્ને આસ્ત્રવોથી ભિન્ન છે. અજ્ઞાની જીવ પુણ્ય અને પાપમાં સારા નરસાનો ભેદ કરી પુણ્યને સ્વીકારવા માંગે છે, ઉપાદેય માને છે, મોક્ષમાર્ગ સમજે છે, જયારે આસ્રવ તત્વ હોવાથી પાપોની જેમ પુણ્યતત્ત્વ પણ હેય છે, ઉપાદેય નથી, સંસારમાર્ગ છે, મોક્ષમાર્ગ નથી. પુણ્ય-પાપ અધિકારનું મુખ્ય પ્રયોજન આ ભેદજ્ઞાન કરાવવનો છે.
જ્ઞાનાવરણાદિકમોનાબંધના કારણો મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ આસ્રવ ને. આ મિથ્યાત્વાદિ આસ્ત્રવના ભાવાસ્ત્રવ અને દ્રવ્યાસ્ત્રવ એમ બે ભેદ છે. મિથ્યાત્વ, અવિરતિ અને કષાય તો મોહ-રાગ-દ્વેષ રૂપ જ છે; યોગ, મન-વચન-કાયાની ચંચળતા અને તેના નિમિત્તથી આત્મપ્રદેશોમાં થનારા કંપનને
૧૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org