________________
કહે છે. આત્મપ્રદેશોમાં થનારા કંપન ભાવયોગ છે અને મન-વચન-કાયાની ચંચળતા દ્રવ્યયોગ છે. આમ પરપદાર્થોમાં એકત્વ-મમત્વ-કર્તુત્વ-ભોક્નત્વબુધ્ધિ ભાવમિથ્યાત્વ છે અને તેના નિમિત્તથી કામણવર્ગણાનું મિથ્યાત્વકર્મરૂપ પરિણમન થવું તે દ્રવ્યમિથ્યાત્વ છે. તેજ પ્રમાણે અવિરતિ અને કષાયનું પણ સમજવું.
આસ્ત્રવભાવોથી આત્મા (જીવતત્ત્વો) તન્ન ભિન્ન છે. આસ્ત્રવભાવોથી ભિન્ન પોતાના આત્માને જ પોતાનો જાણનાર સમજનાર જ્ઞાનીઓને મિથ્યાત્વ સંબંધી આસ્રવ થતો નથી અને તેથી જ તેમને નિરાસ્ત્રવ કહેવાય છે. સમયસાર નાટકના આસ્ત્રદ્વાર છંદ ૪માં કહ્યું છે કે
“જે દ્રવ્ય આસ્ત્રવરૂપ ન થાય, જહાં ભાવ આસ્રવ ભાવ ન કોઈ, જેની દશા જ્ઞાનમય લહિએ, તે જ્ઞાતા, નિરાસ્ત્રવ કહિએ.” આ અધિકારમાં સમ્યગ્દષ્ટિ જ્ઞાની ધર્માત્માને નિરાસ્ત્રવ સાબિત કર્યા છે અને તે સંદર્ભમાં ઉઠતી શંકા-આશંકાઓનું નિરાકરણ પણ કર્યું છે. પ્રશ્ન: “જયીં જગમેં વિચરે મતિમંદ, સ્વછંદ સદા વરતે બુધ તૈયો, ચંચલ ચિત્ત, અસંજિત વૈણ, શરીર-સ્નેહ યથાવત્ જૈસો; ભોગ સંજોગ પરિગ્રહ સંગ્રહ, હ વિલાસ કરે જહાં ઐ, પૂછત શિષ્ય આચાર જેસૌ યહ, સમ્યફ્યુત નિરાસ્ત્રવ કેંસો?” અર્થ: શિષ્ય ગુરુને પ્રશ્ન કરે છે કે હે સ્વામી! સંસારમાં જેવી રીતે મિથ્યાદષ્ટિ જીવ સ્વતંત્રપણે વર્તે છે તેવી જ પ્રવૃતિ સમ્યગ્દષ્ટિ જીવની પણ હમેશાં રહે છે– બન્નેની ચિત્તની ચંચળતા, અસંયત વચન, શરીરનો સ્નેહ, ભોગનો સંયોગ, પરિગ્રહનો સંચય અને મોહનો વિલાસ એક સરખો હોય છે, તો પછી સમ્યગ્દષ્ટિ જીવ કયા કારણે આસ્ત્રવરહિત છે?
ઉત્તર: “પૂર્વ અવસ્થા જે કર્મ-બંધ કીને, અબ, તેઉ ઉદય આઈ નાના ભાતિ રસ દેહ હૈ, કોઈ શુભ સાતા કોઈ અશુભ અસાતારૂપ; દુહૂસૌ ન રાગ ન વિરોધ સમચેત હૈ. યથા જોગ ક્રિયા કરે ફલકી ન ઈચ્છા ધરે, જીવન-મુક્તિકો બિરદ (યશ) ગહિ લેતે હૈ, વાતે જ્ઞાનવતકો ન આવ કહત કૌ મુઢતાસે ત્યારે ભએ શુધ્ધતા સમેત હૈ
૧૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org