________________
આત્મખ્યાતિ કળશ ૬૨માં અમૃતચંદ્ર આચાર્યે કહ્યું છે કે
“આત્મા જ્ઞાન સ્વયજ્ઞાન જ્ઞાના અન્ય કરોતિ કિમ;
પરભાવસ્ય કત આત્મા મોહો અયં વ્યવહારિણા” એટલે કે આત્મા જ્ઞાનસ્વરૂપ છે, સ્વયં જ્ઞાન જ છે, તે જ્ઞાન સિવાય અન્ય શું કરે? આત્મા પરભવોનો કર્યા છે એમ માનવું કહેવું વ્યવ્હાર આસક્તજનોનો મોહ જ છે, અજ્ઞાન જ છે. જ્ઞાનાવરણાદિ કર્મનો કર્તા જીવ છે, તે કહેવું પણ જૂઠું છે.
કત-કર્મની સ્થિતિ સ્પષ્ટ બતાવતાં સમયસાર નાટકના કર્તા-કર્મ અધિકારમાં ૧૭મી ગાથામાં કવિવર બનારસીદાસજી લખે છે કે
“જ્ઞાન ભાવ જ્ઞાનિ કરે, અજ્ઞાની અજ્ઞાન
દ્રવ્યકર્મ પુદગલ કરે, યહ નિહચ પરમાણ.” આત્મામાં ઉત્પન્ન થનારા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ જ્ઞાનુભાવોનો કર્તા જ્ઞાની આત્મા છે, મોહ-રાગ-દ્વેષ આદિ અજ્ઞાનભાવોનો કર્તા અજ્ઞાની આત્મા છે અને જ્ઞાનાવરણાદિ દ્રવ્યકમ, શરીરાદિ નોકમોનો કર્તા પુદગલ દ્રવ્ય જ છે.
જો કે યુધ્ધ સૈનિકો લડે છે, પણ વ્યવહારમાં એમ જ કહેવાય છે કે યુધ્ધ રાજાએ કર્યું. જીવને જ્ઞાનાવરણાદિ કર્મોનો કર્તા કહેવો તે જ પ્રમાણેનું વ્યવહાર કથન છે. જેમ પ્રજાના ગુણ દોષોનો ઉત્પાદક રાજા જ કહેવાય છે, તેમ યુગલ દ્રવ્યના પરિણમનનો કર્તા જીવ જ કહેવાય છે. આચાર્ય કુન્દકુન્દ સમયસારની ગાથા ૧૦૭માં લખે છે કે
“ઉપજાવતો, પ્રણમાવતો, ગ્રહતો, અને બાંધે, કરે
પુગલ દ્રવ્યને આતમા – વ્યવહારનય વક્તવ્ય છે.” આત્મા પુગલ દ્રવ્યનો કર્યા છે, ઉત્પન્ન કરે છે, બાંધે છે, પરિણમન કરાવે છે અને ગ્રહણ કરે છે - તે બધાં વ્યવહારનયનાં કથન છે. વાસ્તવમાં જોઈએ તો આત્માને પરદ્રવ્યની સાથે કોઈ પણ સંબંધ નથી.
અજ્ઞાની આત્મા દેહાદિ પરપદાર્થો અને રાગાદિ વિકારોને નિજરૂપ જ માને છે અથવા તેને પોતાના માનીને તેમની સાથે સ્વ-સ્વામી સંબંધ સ્થાપિત કરે છે, તેનો સ્વામી બને છે. જો કદાચ તેમને પોતાના ન પણ માને તો પણ તેમનો કર્તા-ભોક્તા તો બને જ છે.
આમ અજ્ઞાનીમાં પસાથે એકત્વ-મમત્વ અને કર્તુત્વ-ભોકતૃત્વ જોવામાં આવે છે. તે ચારે સ્થિતિઓને અધ્યાત્મની ભાષામાં પરથી અભેદ જ માનવામાં આવે છે, તેથી પરથી એકત્વ-મમત્વ અને કર્તુત્વ-ભોક્નત્વ ભાવ તોડવો તે જ
१६
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org