SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ છે, તે પ્રમાણે વર્ણાદિવાળો જીવ' એવો વચનવ્યવહાર કરવા માત્રથી જીવ વદિ વાળો થઈ જતો નથી. દેવનો જીવ, મનુષ્યનો જીવ, રાગીજીવ, દ્વેષીજીવ ઇત્યાદિ કહેવું વ્યવહારમાત્ર છે. આ સાર છે સમયસારના જીવ અજીવ અધિકારનો. સંપૂર્ણ વિશ્વને સ્વ અને પર, એમ બે ભાગોમાં વિભક્ત કરી, બીજાથી ભિન્ન અને પોતાથી અભિન્ન નિજ ભગવાન આત્માની ઓળખાણ કરાવવી તે આ અધિકારનું મૂળ પ્રયોજન છે. જીવ-અજીવ અધિકારના અધ્યયનથી સ્વ અને પરની ભિન્નતા અત્યંત સ્પષ્ટ થઈ જવા છતાં જયાં સુધી આ જીવ પોતાને કર્તા-ભોક્તા માનતો રહે છે ત્યાં સુધી વાસ્તવિક ભેદજ્ઞાન ઉદ્ભવતું નથી. તેથી જ આચાર્ય કુન્દકુન્દ જીવ-અજીવ અધિકાર પછી તરત જ કર્તા-કર્મ અધિકાર લખવો જરૂરી સમજયા. પરના કતૃત્ત્વના બોજાથી દબાએલો આત્મા ન તો સ્વતંત્ર થઈ શકે છે અથવા ન તો તેમાં સ્વાવલંબનના ભાવ જાગૃત થઈ શકે છે. જો એક દ્રવ્યને બીજા દ્રવ્યના કાર્યનો કર્તા ભોક્તા સ્વીકાર કરવામાં આવે તો પછી પ્રત્યેક દ્રવ્યની સ્વતંત્રતાનો કોઈ અર્થ જ રહેતો નથી. આ વાતને કર્તા-કર્મ અધિકારમાં ઘણી જ સ્પષ્ટતાથી સમજાવી છે. સમયસાર ગાથા ૭૫માં કુન્દકુન્દ આચાર્ય તો સ્પષ્ટ કહે છે કે, “પરિણામ કર્મ તણું અને નોકર્મનું પરિણામ જે, તે નવ કરે છે, માત્ર જાણે, તે જ આત્માશાની છે.” જે જીવ ક્રોધાદિ ભાવકમાં, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મો અને શરીરાદિ નોકર્મોનો કર્તા થતો નથી, તેને માત્ર જાણે છે, તે જ વાસ્તવમાં જ્ઞાની છે. - જો એક દ્રવ્ય બીજા દ્રવ્યનાં કાર્યો કરે. તેના સ્વતંત્ર પરિણામમાં હસ્તક્ષેપ કરે, તેને ભોગવે, તો પછી પ્રત્યેક દ્રવ્યની સ્વતંત્રતાનો શું અર્થ બાકી રહી જાય છે? કર્તા કર્મ અધિકારની ઉપરોક્ત ગાથામાં તો એટલા સુધી કહ્યું છે કે પરના લક્ષથી આત્મામાં ઉત્પન્ન થતા મોહ રાગ-દ્વેષ આદિ વિકારી ભાવોનો કર્યા પણ જ્ઞાની થતો નથી, તે તો તેને ફક્ત જાણે જ છે. આત્મામાં ઉત્પન્ન થતા મોહ-રાગ-દ્વેષના ભાવો આશ્રવભાવ છે. કર્તા-કર્મ-અધિકારનો આરંભ જ આત્મા અને આશ્રવોના વચ્ચેના ભેદવિજ્ઞાનથી થાય છે. જયારે આત્મા ભિન્ન છે અને આશ્રવ ભિન્ન છે તો પછી આત્સવભાવોનો કર્તા-ભોક્તા આત્મા કેવી રીતે બની શકે? જિન આગમમાં જયાં જયાં ઓત્માને પરનો અથવા વિકારનો કર્તા-ભોક્તા કહ્યો છે, તેને પ્રયોજન વિશેષથી કહેલું વ્યવહારનયનું કથન સમજવું જોઈએ. ૧૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005314
Book TitleParamagama Sara
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy