________________
પરમધ્યાનનું ધ્યેય, એકમાત્ર શ્રધ્યેય, તે ભગવાન આત્મા ન તો કર્મથી બંધાયેલો છે કે ન તો કોઈ પદાર્થ તેને સ્પર્શ કરી શકે છે. તે ધ્રુવતત્ત્વ પરથી સંપૂર્ણ અસંયુક્ત, પોતામાં જ પુર્ણ, પોતામાં અનન્ય અને સમસ્ત વિશેષોથી રહિત
છે.
પરથી ભિન્ન અને પોતાનામાં અભિન્ન એવા ભગવાન આત્મામાં પ્રદેશભેદ, ગુણભેદ અને પર્યાયભેદનો પણ અભાવ છે. ભગવાન આત્માના અભેદ-અખંડ પરમભાવને ગ્રહણ કરવાવાળો નય જ શુધ્ધનય છે અને તે જ ભૂતાર્થ છે, સત્યાર્થ છે, બાકી બીજા બધા વ્યવહારનય અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. જે વ્યક્તિ આ શુધ્ધનયના વિષયભૂત ભગવાન આત્માને જાણે છે, તે સમસ્ત જીનશાસનનો જ્ઞાતા છે; કારણકે સમસ્ત જીનશાસનનો વિષય એક શુધ્ધાત્મા જ છે, તેના જ આશ્રયથી નિશ્ચય સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરુપ મોક્ષમાર્ગ પ્રગટ થાય છે. મોક્ષના અભિલાષી દ્વારા એક માત્ર તે જ આરાધ્ય છે, તે જ ઉપાસવા યોગ્ય છે, તેની આરાધના-ઉપાસનાનું નામ જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે.
આ ભગવાન આત્માના સિવાય બધા દેહાદિ પરપદાર્થો, રોગાદિ વિકારીભાવો અને ગુણભેદાદિના વિકલ્પોમાં પોતાપણું તે જ મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. દેહાદિ પરપદાર્થો અને રાગાદિ વિકારી ભાવોને જિન આગમમાં વ્યવહારથી આત્મા કહ્યો છે, આત્માના કહ્યા છે, પણ તે વ્યવહાર પ્રયોજનવિશેષ પુરતો જ સત્યાર્થ છે.
જે પ્રમાણે અનાર્યને સમજાવવા માટે અનાર્યભાષાનો ઉપયોગ ઉપયોગી જ છે પણ તેથી કરીને અનાર્ય થઈ જવું તે કદી પણ જરૂરી અથવા યથાર્થ નથી બનતું; તે પ્રમાણે પરમાર્થની સિધ્ધિ માટે પરમાર્થનો પ્રતિપાદક વ્યવહારનો ઉપયોગ બરાબર છે, પણ વ્યવહારમાં મુગ્ધ બની જવું તે બરાબર નથી. કહેવાનો મતલબ એ છે કે વ્યવહારના વિષયભૂત દેહાદિ અને રાગાદિને વાસ્તવમાં આત્મા સમજી માની લેવો, પોતાનો સમજી લેવો-માની લેવો, કદી પણ યોગ્ય કહી શકાય નહી.
ભગવાન આત્મા તો દેહાદિમાં જણાતા રુપ, રસ, ગંધ અને સ્પર્શથી રહિત અરસ, અરુપ, અગંધ અને અસ્પર્શી સ્વભાવવાળું ચેતન તત્ત્વ છે, શબ્દાદિથી પાર, અવકતવ્ય તત્ત્વ છે, તેને બાહ્ય ચિન્હોથી ઓળખવો સંભવ નથી. વ્યવહારમાં તેને ભલે વદિમય અર્થાત્ ગોરો, કાળો કહે પણ કહેવા માત્રથી તે વર્ણાદિમય થઈ જતો નથી.
આત્મખ્યાતિ-કળશ-૪૦માં કહ્યું છે કે જે પ્રકારે ‘ઘીનો ઘડો' તે પ્રકારનો વચન વ્યવહાર હોવા છતાં ઘડો ઘીમય થતો નથી, ઘડો માટીનો છે, ઘી ભિન્ન
૧૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org