________________
સમયસાર
જો આચાર્ય કુન્દકુન્દ દિગંબર જૈન આચાયોની પરંપરામાં શિરોમણી છે તો શુધ્ધાત્માનો પ્રતિપાદક તેમનો આ ગ્રન્થાધિરાજ સમયસાર સંપૂર્ણ જૈન કથનમાં અગ્રેસર છે. આચાર્ય અમૃતચંદ્ર તેના માટે આત્મખ્યાતિ-કળશ ૨૪૫માં કહ્યું કે તે જગતનું અદ્વિતીય અક્ષય ચક્ષુ છે, તથા તેની મહિમા માટે આત્મખ્યાતિ કળશ-૨૪૪માં કહ્યું કે સમયસાર થી મહાન આ જગતમાં કાંઈ પણ નથી.
આચાર્ય કુન્દકુન્દ પોતે તેની છેલ્લી ગાથા ૪૧પમાં તેના અધ્યયનનું ફળ બતાવતાં કહે છે કે,
, “આ સમયપ્રાભૂત પઠન કરીને, અર્થ-તત્ત્વથી જાણીને
ઠરશે અરથમાં આત્મા છે, સૌખ્ય ઉત્તમ તે થશે.” જે જીવ આ સમયસાર ગ્રંથનો અભ્યાસ કરી, તેમાં પ્રતિપાદિત આત્મ વસ્તુનો અર્થ અને તત્ત્વ જાણી, તે આત્મવસ્તુમાં સ્થિરતા કરે છે, પોતાને તેમાં સ્થાપે છે, તે જીવ ઉત્તમ સુખ અર્થાત અતીન્દ્રિય અનંત આનંદને પ્રાપ્ત કરે છે.
આચાર્ય જયસેન પ્રમાણે આચાર્ય કુન્દકુન્દ સંક્ષેપરુચિવાળા શિષ્યો માટે પંચાસ્તિકાય, મધ્યમરુચિવાળા શિષ્યો માટે પ્રવચનસાર અને વિશેષરુચિવાળા શિષ્યોમાટે આ ગ્રંથાધિરાજ સમયસારની રચના કરી છે.
આ ગ્રંથાધિરાજ ઉપર પહેલેથી છેલ્લે સુધી સોળવાર સભામાં વ્યાખ્યાન આપી આ કાળમાં તેને ઘરઘર પહોંચાડનાર આધ્યાત્મિક સત્યરુષ શ્રી કાનજી સ્વામી કહેતા હતા કે, “આ સમયસાર શાસ્ત્ર આગમોનો આગમ છે, લાખો શાસ્ત્રોનો સાર તેમાં છે. આ જૈનશાસનનો સ્તંભ છે, સાધકોની કામધેનું છે, કલ્પવૃક્ષ છે. તેમાંની પ્રત્યેક ગાથા છકે સાતમે ગુણસ્થાને ઝૂલાતા મહામુનિના આત્મ અનુભવમાંથી નીકળેલી છે.”
આ ગ્રંથાધિરાજના મૂળ વિષયમાં નવતત્ત્વોના નિરૂપણના માધ્યમથી નવતત્ત્વોમાં છૂપાયેલી પરમશુધ્ધનિશ્ચયનયની આત્મ જયોતિ છે કે જેના આશ્રયથી નિશ્રય સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ થાય છે.
આચાર્યદેવ પૂર્વાંગમાં જ કહે છે કે હું પોતાના સંપૂર્ણ વૈભવથી તે એકત્વવિભક્ત આત્માનું દિગ્દર્શન કરીશ, જે ન તો પ્રમત્ત છે, ન અપ્રમત્ત છે, ન જ્ઞાન છે, ન દર્શન છે, ન ચારિત્ર છે, માત્ર અભેદ-અખંડ એક જ્ઞાયકભાવરુપ છે, પરમશુધ્ધ છે.
૧૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org