________________
નિયમસાર ઉપર પરમવૈરાગી મુનિ શ્રી પદ્મપ્રભમલધારિદેવે વિક્રમની બારમી સદીમાં સંસ્કૃત ભાષામાં ‘તાત્પર્યવૃત્તિ’ નામની ટીકા લખી. તે ટીકા વૈરાગ્યભાવ અને શાંતરસથી તરબોળ છે, જુદી જ જાતની અદ્ભૂત ટીકા છે.
અષ્ટપાહુડના આરંભિક છ પાહુડો ઉપર વિક્રમની સોળમી સદીમાં લખેલી ભટ્ટારક શ્રુતસાગરની સંસ્કૃત ટીકા પ્રાપ્ત છે, જે ષટ્યાહુડના નામથી જાણીતિ છે. ષપાહુડ કોઇ સ્વતંત્ર કૃતિ નથી, પણ અષ્ટપાહુડના આરંભિક છ પાહુડો જ ષટ્યાહુડના નામથી ઓળખાય છે.
સમયસારની આચાર્ય અમૃતચંદ્ર કૃત આત્મખ્યાતિમાં સમાવેલ કલશો (છંદો) ઉપર પાંડે રાજમલજીએ વિક્રમ સંવત ૧૬૫૩માં લોકભાષા ઢૂંઢારીમાં એક બાલબોધની ટીકા લખી, જે કળશોનું ગૂઢ રહસ્ય ખોલવામાં અદ્ભૂત છે. તેમાંથી પ્રેરણા મેળવી અને તેનો ઘણો આધાર લઇ કવિવર પંડિત બનારસીદાસજીએ વિક્રમ સંવત ૧૬૯૩માં સમયસાર નાટક નામના ગ્રંથની પદ્યમય રચના કરી છે જે આજે પણ અધ્યાત્મ પ્રેમિઓને કઠસ્થ છે. તેમના પછી પંડિતપ્રવર જયચંદજી છાબડાએ વિક્રમ સંવત ૧૮૬૪માં આત્મખ્યાતિ સહિત સમયસારની ભાષા ટીકા બનાવી, જે આજ પણ સર્વ થી અધિક વંચાય છે. અષ્ટપાહુડની પણ જયચંદજી છાબડા કૃત ભાષા ટીકા ઉપલબ્ધ છે. અષ્ટપાહુડનો સ્વાધ્યાય આજે પણ તેના આધારે કરવામાં આવે છે.
આમ તત્ત્વપ્રદીપિકા સહિત પ્રવચનસાર ઉપર પાંડે હેમરાજજીની ભાષા ટીકા તથા કવિવર વૃન્દાવનદાસજી અને મહાકિવ ગોદી ભાવશા છન્દાનુવાદ પણ ઉપલબ્ધ છે.
આચાર્ય કુન્દકુન્દનો સાચો પરિચય તો તેમના ગ્રંથોમાં પ્રતિપાદિત વિષયવસ્તુ છે જેને જાણીને જૈનદર્શનના મર્મને સારી રીતે સમજી શકાય છે. તેથી તેમનાં રચિત પંચ પરમાગમોમાં પ્રતિપાદિત વિષયવસ્તુનો સંક્ષિપ્તસાર આપવો અત્યંત આવશ્યક છે.
Jain Educationa International
૧૨
For Personal and Private Use Only
www.jainelibrary.org