________________
“હે કુન્દકુન્દાદિ આચાયો! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તા માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું.”
આચાર્ય કુન્દકુન્દના આ મહા ઉપકારી ગ્રંથોને દિગંબર પરંપરાના ગણીને શ્વેતાંબર સમાજે કદી લેશ માત્ર પણ અવગણના કરવા યોગ્ય નથી.
આચાર્ય કુન્દકુન્દદ્વારા રચિત અત્યારે ઉપલબ્ધ સાહિત્ય નીચે પ્રમાણે છે:૧) સમયસાર (સમયપાહુડી ૨) પ્રવચનસાર (પવયણસારો) ૩) નિયમસાર (ણિયમસારો) ૪) પંચાસ્તિકાય સંગ્રહ (પંચત્યિકાય સંગહો) ૫) અષ્ટપાહુડ (અઠ પાહુડ). આ ઉપચંત દ્વાદશાનુપ્રેક્ષા અને દેશભક્તિ પણ તેમની કૃતિઓ માનવામાં આવે છે. તેમજ રયણસાર અને મૂલાચાર પણ આપની રચનાઓ કહેવાય છે. કોઈ તો કુરલ કાવ્યને પણ આપની કૃતિ માને છે.
ઉલ્લેખોના આધાર પર કહી શકાય કે તેમણે પટખંડાગમના પ્રથમ ત્રણ ખંડો ઉપર “પરિકર્મ' નામની ટીકા લખી હતી પણ તે આજે ઉપલબ્ધ નથી.
અષ્ટપાહુડમાં નીચે લખેલા આઠ પાહુડનો સંગ્રહ છે:- ૧) દર્શન પાહુડ ૨) સૂત્રપાહુડ ૩) ચારિત્રપાહુડ ૪) બોધપાહુડ ૫) ભાવપાહુડ ૬) મોક્ષપાહુડી ૭)લિંગપાહુડ અને ૮) શીલ પાહુડ.
સમયસાર જૈન અધ્યાત્મનું પ્રતિષ્ઠાપક અદ્વિતીય મહાન શાસ્ત્ર છે. પ્રવચનસાર અને પંચાસ્તિકાયસંગ્રહ પણ જૈન દર્શનમાં પ્રતિપાદિત વસ્તુવ્યવસ્થાનું વિશેષ વિવેચન કરતા જિનાગમના મૂલ ગ્રંથરાજ છે. આ ત્રણે ગ્રંથરાજોને નાટકત્રયી, પ્રાભૂતત્રયી અથવા કુન્દકુન્દત્રયી પણ કહેવામાંઆવે છે.
ઉક્ત ત્રણ ઝાંથરાજો ઉપર કુન્દકુન્દના લગભગ એક હજાર વર્ષ પછી એટલે આજથી એક હજાર વર્ષ પહેલાં આચાર્ય અમૃતચંદ્રદેવે સંસ્કૃત ભાષામાં ગંભીર ટીકાઓ લખી છે. સમયસાર, પ્રવચનસાર અને પંચાસ્તિકાય સંગ્રહ ઉપર આચાર્ય અમૃચંદ્ર લખેલી ટીકાઓનાં સાર્થક નામો અનુક્રમે “આત્મખ્યાતિ, ‘તત્ત્વપ્રદીપિકા' અને “સમયવ્યાખ્યા' છે.
આ ત્રણે ગ્રંથો ઉપર આચાર્ય અમૃતચંદ્ર પછી લગભગ ત્રણસો વર્ષ બાદ આચાર્ય જયસેને લખેલી તાત્પર્યવૃત્તિ નામની સરળ અને સુબોધ ટીકાઓ પણ ઉપલબ્ધ છે.
૧૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org