SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ન બીજું, આ તેમની વિશુધ્ધ વ્યક્તિગત ઉપલબ્ધિ હતી. વ્યક્તિગત ઉપલબ્ધિઓનો સામાજિક ઉપયોગ ન તો ઉચિત છે કે ન તો આવશ્યક છે. તેથી તેઓ તેનો ઉલ્લેખ કરીને તેને જાહેર ચર્ચાનો વિષય બનાવવા માંગતા ન હોતા. વિદેહગમનની ઘોષણાના આધાર પર તેઓ પોતાને મહાન પૂરવાર કરવા માંગતા નહોતા. તેમની મહાનતા તેમના જ્ઞાન, શ્રધ્ધાન અને આચારણના આધાર પર જ પ્રતિષ્ઠિત છે. આ પણ એક કારણ હતું કે તેમણે વિદેહગમનની ચર્ચા સુધ્ધાં કરી નથી. તે સમયે લોકમાં આ વાત તો પ્રસિધ્ધ હતી જ અને જો તેઓ પોતે તેનો જરા પણ ઉલ્લેખ કરતા તો આ વાતનો પ્રચાર પ્રસાર એટલો બધો વધી જાત કે તેનાથી જૈન શાસનને લાભ કરતાં હાનિ થવાનો પ્રસંગ બનતે. જો કોઇ આચાર્ય પાસે થી તેમની વાતનો પુરાવો માંગતે તો આચાર્ય શું પ્રમાણ રજુ કરતા ફરતા? આ સ્થિતિ કાંઇ સારી તો ન જ થાત. તેથી આચાર્યદેવે તેમની વિદેહગમનની ચર્ચા ન કરીને સારુંજ કર્યું છે. વળી વિદેહક્ષેત્ર જનારા આચાર્ય કુકુન્દ એકલા તો નહોતા જ. તેમના પછી પૂજયપાદ આચાર્ય પણ વિદેહક્ષેત્રે જઇ સીમન્ધર પરમાત્માનાં દર્શન કરી તેમની દિવ્યધ્વનિ સાંભળી પાછા આવ્યા હતા. કુન્દકુન્દ આચાર્યના વિદેહક્ષેત્ર ગમનની ઘટનાને અપ્રમાણિક કહેવું દેવસેના અને જયસેનાચાર્ય જેવા મહાન આચાર્યો ઉપર અવિશ્વાસ દર્શાવવા સિવાય બીજું શું કહેવાય? પ્રાપ્ત થએલા શિલાલેખો અને ઉપરોકત આચાર્યોના કથનો ના આધારે એટલું તો સહજ સિધ્ધ જ છે કે તે સદેહે વિદેહ ગયા હતા અને તેઓએ સીમન્ધર પરમાત્માનાં સાક્ષાત દર્શન કર્યાં હતાં, તેમની દિવ્યધ્વનિનું શ્રવણ કર્યું હતું. શ્રી વર્ધમાન સ્વામીના નિર્વાણ પછી પાંચ શ્રુતકેવળી થયા, તેમાં અંતિમ શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુ સ્વામી થયા. તેમની પરંપરામાં એક તો ધરસેન નામના મુનિ થયા. તેમને અગ્રાયણી પૂર્વના પાંચમાં વસ્તુ અધિકારમાં મહાકર્મપ્રકૃતિ નામના ચોથા પ્રાભૂતનું જ્ઞાન હતું. તેમણે આ પ્રાભૂત ભૂતબલી અને પુષ્પદંત નામના મુનિઓને શીખડાવ્યું, આ બન્ને મુનિઓએ આગામી કાળ-દોષથી બુધ્ધિની મંદતા જાણી તે પ્રાભૂત અનુસાર ષટખંડસૂત્રની પુસ્તકરૂપે રચના કરી. તેમના પછી જે વીરસેન મુનિ થયા, તેમણે તે સૂત્રોને વાંચીને વિસ્તારથી ટીકા કરીને ધવલ, મહાધવલ, જયધવલ, આદિ સિધ્ધાંતોની રચના કરી. તેમના પછી તે ટીકાઓને વાંચીને શ્રી નેમિચંદ્ર આદિ આચાર્યોએ ગોમ્મટસાર, લબ્ધિસાર, ક્ષપણસાર આદિ શાસ્ત્ર બનાવ્યાં. Jain Educationa International ८ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005314
Book TitleParamagama Sara
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy