________________
આમ પ્રતિજ્ઞાવાક્યોમાં કેવળી અને શ્રુતકેવળીની વાણીના અનુસાર ગ્રંથ લખવાની વાત કહી છે. અહીં નિશ્ચિતરૂપથી કેવળીના રૂપમાં ભગવાન મહાવીરને યાદ કર્યા છે, કારણકે શ્રુતકેવળીની વાત કરી તેમણે સાફ કહી દીધું છે કે શ્રુતકેવળીઓના માધ્યમથી પ્રાપ્ત કેવળી ભગવાનની વાત હું કહીશ. તે જ કારણથી તેમણે ભદ્રબાહુ કેવળીને પોતાના ગમગુરુ સ્વીકાર કર્યા છે. તો પછી સીમંધર ભગવાનની વાણી સાંભળી સમયસાર ગ્રંથ લખ્યો છે તે વાત કેવી રીતે સિધ્ધ કરી શકાય?.
આ શંકાનું સમાધાન કરવા માટે આપણે થોડા ઉડાણમાં જવું પડશે. આચાર્ય કુન્દકુન્દ બહુ જ ગંભીર પ્રકૃતિના નિરાભિમાની જવાબદાર આચાર્ય હતા. તેથી પોતાના થોડા યશ લાભ માટે તેઓ એવું કોઈ કામ કરવા માંગતા નહોતા કે જેથી સંપૂર્ણ આચાર્ય પંરપરા અને દિગંબર દર્શનને અસર પડે. જો તેઓ એમ કહેતા કે મારી વાત એટલા માટે પ્રમાણિક છે, કારણકે મેં સીમંધર પરમાત્માનાં દર્શન કર્યા હતા, તેમની દિવ્ય ધ્વનિનું સાક્ષાત શ્રવણ કર્યું હતું, તો તે આચાર્યોની પ્રમાણિકતાને હાનિ પહોંચતી જેમને સીમંધર ભગવાનના દર્શનનો લાભ મળ્યો નથી અથવા જેઓ એ સીમંધર પરમાત્મા પાસેથી સાક્ષાત તત્ત્વશ્રવણ કર્યું નથી, જે કોઈ પણ રીતે યોગ્ય નહોતું.
બીજી વાત એ પણ હતી કે વિદેહક્ષેત્ર તો તેઓ મુનિ થયા પછી ગયા હતા. વસ્તુસ્વરૂપનું સાચું પરિજ્ઞાન તો તેમને પહેલેથી જ થઈ ચૂક્યું હતું. એ પણ શક્ય છે કે તેમને પોતાના અમુક ગ્રન્થોની રચના પહેલાં જ કરી લીધી હોય. પહેલાના નિમિત ગ્રન્થોમાં તો ઉલ્લેખનો કોઈ પ્રશ્ન જ ઉત્પન્ન થતો નથી અને જો પછીના નિર્મિત ગ્રન્થોમાં ઉલ્લેખ કરતા તો પહેલાના ગ્રન્થોની પ્રમાણિકતા પર પ્રશ્નચિન્હ લાગી જતે. તેથી તેમણે જાણી જોઈને પોતાને મહાવીર અને ભદ્રબાહુ શ્રુતકેવળીની આચાર્ય પરંપરાથી જોડયા.
આચાર્ય કુન્દકુન્દ પોતાને જો સીમન્વર પરમાત્માથી જોડતે તો દિગંબરો વિદેહક્ષેત્રની પરંપરાના જૈન કહેવાતા, કારણકે કુન્દકુન્દ દિગંબરોના સર્વમાન્ય આચાર્ય હતા. આમ ચોવીસ તીર્થકરોની પરંપરાના વારસાનો દાવો શ્વેતાંબર સમાજ કરવા લાગત. તેથી દિગંબર પરંપરાનું પ્રતિનિધિત્વ કરવાવાળા આચાર્ય કુન્દન્દિને એ વારંવાર જાહેર કરવું પડયું કે તેઓ અને તેમના ગ્રંથો ભગવાન મહાવીર, ગૌતમ ગણધર અને શ્રુતકેવળી ભદ્રબાહુની પરંપરાના જ છે, આ અત્યંત જરૂરી હતું.
કોઈ પણ રૂપમાં દિગંબરોનો સંબંધ ભરતક્ષેત્રથી તૂટી ને વિદેહક્ષેત્રથી જોડાઈ ન જાય, આ વાતને ધ્યાનમાં રાખીને જ કુન્દકુન્દ વિદેહક્ષેત્રના ગમનની ઘટના નો ક્યાંય ઉલ્લેખ સુદ્ધાં પણ ન કર્યો હોય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org