________________
આવી જ મળતી આવતી કથા “આરાધના કથાકોશ'માં પ્રાપ્ત થાય છે. તેથી ઉપરોક્ત ઉલ્લેખો અને કથાઓના આધાર પર એટલું તો નિઃસંકોચ કહી શકાય કે આચાર્ય કુન્દકુન્દ દિગંબર આચાર્ય પરંપરાના ચૂડામણિ હતા. તે ગત બે હજાર વર્ષમાં થએલા દિગંબર આચાર્યો, સંતો, આત્માર્થી વિદ્વાનો અને આધ્યાત્મિક સાધકોના આદર્શ રહ્યા છે, માર્ગદર્શક રહ્યા છે, ભગવાન મહાવીર અને ગૌતમ ગણધરના સમાન પ્રાતઃસ્મરણીય રહ્યા છે, કળિકાળ-સર્વજ્ઞના રૂપમાં સ્મરણ કરવામાં આવે છે. તેમણે આ જ ભવમાં સદેહે વિદેહક્ષેત્ર જઈ સીમંધર અરહંત પરમાત્માનાં દર્શન કર્યા. તેમની દિવ્યધ્વનિને સાક્ષાત સાંભળી, તેઓ ચારણઋધ્ધિના ધારક હતા. તેથી તો કવિવર વૃન્દાવનદાસને કહેવું પડ્યું કે
હુએ હૈ ન હોકિંગે મુનિન્દ કુન્દકુન્દ સે” પાછળના બે હજાર વર્ષોમાં કુન્દકુન્દ જેવા પ્રતિભાશાળી, પ્રભાવશાળી, પેઢીઓ સુધી પ્રકાશ ફેલાવવા સમર્થ આચાર્ય ન તો થયા છે અને પંચમકાળના અંત સુધી થવાની સંભાવના પણ નથી.
અહીં એક પ્રશ્ન સ્વાભાવિક ઉદ્ભવે કે જો આચાર્ય કુન્દકુન્દ સદેહે વિદેહ ગાયા હતા, તેમણે સીમન્વર પરમાત્માનો સાક્ષાત્ દર્શન કર્યા હતાં, તેમની દિવ્યધ્વનિ સાંભળી હતી, તો તેમણે આ ઘટનાનો સ્વયં ઉલ્લેખ કેમ કર્યો નહીં?
આ કોઈ સાધારણ વાત નહોતી કે જેની કોઈ ઉપેક્ષા કરી શકાય. એટલું જ નહીં પણ પોતાના મંગળાચરણમાં પણ તેમણે અરહંત પદ પર બિરાજમાન સીમન્વર પરમેષ્ઠીનું વિશેષરૂપથી નામોલ્લેખપૂર્વક સ્મરણ પણ કર્યું નથી.
બીજી પણ એક વાત એ છે કે તેમણે પોતાને ભગવાન મહાવીર અને અંતિમ શ્રુતકેવળી ભદ્રબાહુની પરંપરાથી બુધ્ધિપૂર્વક જોયા છે. દાખલા તરીકેસમયસાર ગાથા-૧માં કહ્યું કે “શ્રુતકેવળીઓ દ્વારા કહેલ સમયસાર નામક પ્રાભૂત કહીશ” નિયમસાર ગાથા-૧ માં કહ્યું કે, “કેવળી તથા શ્રુતકેવળી દ્વારા કથિત નિયમસાર કહીશ.” અષ્ટપાહુડના દર્શને પાહુડની ગાથા-૧માં કહ્યું છે કે “ઋષભદેવ આદિ તીર્થકર અને વર્ધમાન અંતિમ તીર્થકરને નમસ્કાર કરી યથાક્રમ સંક્ષેપમાં દર્શનમાર્ગને કહીશ” પ્રવચનસાર ગાથા-૧માં કહ્યું કે, “ધર્મતીર્થના કર્તા ભગવાન વર્ધમાનને નમસ્કાર કરું છું.” ઉપરના મંગળાચરણોથી એક વાત અત્યંત સ્પષ્ટ થઈ જાય છે કે આચાર્ય કુન્દકુન્દ જંબુદ્વીપના ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીના તીર્થકરોનાં તો નામ લઈ સ્મરણ કર્યું છે પરંતુ જંબુદ્વીપના ભરતક્ષેત્રના સિવાય અન્ય ક્ષેત્રોના તીર્થકરોનાં નામ લઈ કયાંય પણ યાદ કર્યા નથી. માત્ર પ્રવચનસારમાં નામ લીધા વગર જ માત્ર એટલું કહ્યું કે, “મનુષ્યક્ષેત્ર અર્થાત અઢી દ્વીપમાં વિદ્યમાન અરહંતોને વંદના કરું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org