SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ રહ્યા. ભગવાનના દર્શન અને દિવ્યધ્વનિ-શ્રવણથી તેમની સમસ્ત શંકાઓનું સમાધાન થઈ ગયું. કહે છે કે, પાછા ફરતી વખતે તે કોઈ ગ્રંથ પણ સાથે લાવ્યા હતા, પણ તે માર્ગમાં જ પડી ગયો. તીર્થોની યાત્રા કરતાં કરતાં તે ભરતક્ષેત્રમાં પાછા આવી ગયા. તેમનો ધમપદેશ સાંભળીને સાતસો સ્ત્રી-પુરુષોએ દીક્ષા અંગિકાર કરી. થોડા સમય પછી ગિરનાર પર્વત ઉપર શ્વેતાંબરની સાથે તેમનો વિવાદ થયો, ત્યારે બાહ્મીદેવીએ સ્વીકાર કર્યો કે દિગંબર નિગ્રંથ માર્ગ જ સાચો છે. અંતમાં પોતાના શિષ્ય ઉમાસ્વામીને આચાર્ય પદ પ્રદાન કરીને સ્વર્ગવાસી થઈ ગયા. એક કથા “પુણ્યાસ્ત્રવ કથાકોષમાં આવે છે, જેનોસાર નીચે મુજબ છે“ભરતખંડના દક્ષિણદેશમાં “પિડથનાડૂ' નામનો પ્રદેશ છે. તે પ્રદેશના અંતર્ગત કુરુમરઈ નામના ગામમાં કરમંડુ નામનો ધનિક વણિક રહેતો હતો. તેની પત્નીનું નામ શ્રીમતી હતું. તેમના ત્યાં એક ગોવાળિયો રહેતો હતો, જે તેમનાં પશુઓ ચરાવ્યા કરતો હતો. તે ગોવાળિયાનું નામ મતિવરણ હતું. એક દિવસ જયારે તે પોતાનાં ઢોર જંગલમાં લઈ જઈ રહ્યો હતો. ત્યારે તેણે ઘણા આશ્ચર્યથી જોયું કે આખું જંગલ દાવાનળ લાગવાથી બળીને ભસ્મ થઈ ગયું હતું, પરંતુ મધ્યમાં થોડાં વૃક્ષો લીલાછમ હતાં. તેનું કારણ જાણવાની તેને ઘણી ઉત્સુકતા થઈ. તે જયારે તે સ્થાન પાસે ગયો ત્યારે તેને ખબર પડી કે તે સ્થાન કોઈ મુનિરાજનું નિવાસસ્થાન હતું અને ત્યાં એક પેટીમાં આગમ ગ્રંથ રાખ્યા હતા. તે ભણેલો નહોતો. તેણે વિચાર કર્યો કે આ આગમના કારણે જ આ સ્થાન આગથી બચી ગયું છે. તેથી તે આગમોને ઘણા આદરભાવથી ઘરે લઈ આવ્યો, અને પોતાના શેઠના ઘરમાં એક પવિત્ર સ્થાન ઉપર બિરાજમાન કર્યા અને પ્રતિદિન તેની પૂજા કરવા લાગ્યો. કેટલાક દિવસો પછી એક મુનિ તેમના ઘરે પધાર્યા. શેઠ તેમને ઘણા ભક્તિભાવથી આહાર આપ્યો. તે વખતે તે ગોવાળિયાએ તે આગમ તે મુનિને પ્રદાન કર્યા. તે દાનથી મુનિ ઘણા પ્રસન્ન થયા અને તેમણે તે બન્ને ને આશીર્વાદ આપ્યા કે તે ગોવાળિયો શેઠના ઘરમાં પુત્રરૂપે જન્મ લેશે. ત્યાં સુધી શેઠને કોઈ પુત્ર નહોતો. મુનિના આર્શીવાદ અનુસાર તે ગોવાળિયાએ શેઠના ઘરમાં પુત્રરૂપે જન્મ લીધો અને મોટો થતાં મહાન મુનિ અને તત્ત્વજ્ઞાની થયો. તેનું નામ કુન્દકુન્દ્રાચાર્ય હતું. ત્યાર પછી પૂર્વવિદેહ જવાની વાત ઉપર પ્રમાણે જ વર્ણવેલી છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005314
Book TitleParamagama Sara
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy