________________
વિષયોની પણ ઈચ્છા ઉત્પન્ન થાય છે, તેને કામ સેવનની ઈચ્છા, પ્રમાદ અને નિંદ્રા પ્રચુર માત્રામાં વધી જાય છે ત્યારે તે વ્યાભિચારી થઈ જાય છે, માયાવી અર્થાત કામસેવન માટે અનેક છળ કપટ કરવાનું વિચારે છે. તેથી તે સાધુ તો નહીં પણ મનુષ્ય પણ નથી, તે પશુ સમાન છે.
ર૩પ સ્ત્રીવર્ગ પર નિત રાગ કરતો, દોષ દે છે અન્યને, ગજ્ઞાનથી જે શૂન્ય, તે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૧૭.
દીક્ષાવિહીન ગૃહસ્થ ને શિષ્ય ધરે બહુ સ્નેહ જે,
આચાર-વિનયવિહીન, તે તિર્યંચયોનિ, ને શ્રમણ છે. ૧૮. ગાથા–૧૭-૧૮ જે વેષધારી દીક્ષા રહિત ગૃહસ્થો અને શિષ્યોમાં બહુ સ્નેહ રાખે છે, મહિલાવર્ગમાં રાગ કરે છે, તેમની સાથે રાગાત્મક વ્યવહાર કરે છે, પ્રીતિપૂર્વક વાર્તાલાપ કરે છે તથા નિર્દોષ શ્રાવક સાધુને દોષ દે અથવા આળ ચઢાવે, તથા મુનિને યોગ્ય આચરણથી રહિત અને વિનયથી વિહીન થાય છે તે સાધુ નથી, પણ પશુ છે, અજ્ઞાની છે. તેથી આચાર્ય કહે છે કે સાધુએ ન તો ગૃહસ્થો ઉપર કે ન તો દીક્ષિત શિષ્યવર્ગ સાથે નેહ બાંધવો જોઈએ.
૧૨૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org